________________
ઉપ શાખા-શુભ ધ્યાન. मोक्षकर्मक्षयादेव, ससम्यग्ज्ञानतःस्मृतः। ध्यानसाध्यंमतंतद्धि, तस्माद्धितमात्मनः॥
જ્ઞાનાવ સર્ચ ૩, લેક ૧૭. ભાવાર્થ...કર્મને ક્ષય થવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, સમ્યક નાનથી કર્મને ક્ષય થાય છે અને શુભધ્યાનથી સમ્યક જ્ઞાન થાય છે એટલા માટે મુમુક્ષુઓને આત્મ કલ્યાણને હેતુ ધ્યાન જ છે.
પ્રથમ શાખા-“ધ્યાન મૂલ.” આ જગતમાં સારી અને ખરાબ એમ બે વાતે અનાદિથી ચાલી આવે છે. સારી હોય તે નઠારીની, અને નઠારીથી સારી વાતની ઓળખાણ થાય છે. રાત્રિ હોય તે દિવસની અને દિવસ હેય તે રાત્રિની, ટાઢથી તાપની અને તાપથી ટાઢની, સદાચારીથી વ્યભિચારીની અને વ્યભિચારીથી સદાચારીની કિંમત અને ઓળખાણ જેવી રીતે થાય છે તેવી રીતે તમામ સારી અને ખરાબ વાતનું સમજવું. બધા પદાર્થોના ગુણની પરીક્ષા કરી દશવૈકાલિક સૂત્રના ફરમાન પ્રમાણે “ તે સમાય” એટલે જે કલ્યાણકારક માલુમ પડે તેને અંગીકાર કરવું.
અનાદિથી સંબંધ હોવાને લીધે અશુભ ધ્યાનની પ્રવૃત્તિ તે વગર પ્રયાસે સ્વભાવિક રીતે થયાંજ કરે છે, પણ તેવી રીતે શુભ ધ્યાનની પ્રવૃત્તિ થવી બહુજ મુશ્કેલ છે. અશુભ કામ જેમ સહજ થઈ જાય છે તેમ શુભ કામ સહજ થઈ શકતું નથી. આ નિયમ બહુ વિચારવા જેવું છે. ઝેર પીવાથી અચેત થયેલ પુરૂષને,
* દશ વૈ. અધ્યાય ૪ લેક ૧.