________________
હજાર ચોદ્ધાઓ મા હુકમમાં છે, તેમાં પણ મારી પેઠે કળાઓમાં પૂરા, અને શુરવીર છે. મેં મોટા મોટા રાજાઓને કંપાવ્યા છે. હવે હું થોડા વખતમાં તમામ રાજાઓને અને મારી બધી રિદ્ધિ સિદ્ધિને સ્વામી બની નિરાંતે મોજમજા ભેગવીશ. ફલાણી સ્ત્રી ઘણી જ રૂપાળી છે, એનું પણ હરણ કરીશ; ફલાણું લૂગડાં, વાસણ, ઢોર, માણસ એ બધા ઉત્તમ પદાર્થોને મારે તાબે કરીશ અને તે બધાને લાગવીને મારા આત્માને રાજી કરીશ, વગેરે વિચારે અંતઃકરણમાં થાય તેને તસ્કરાનુબંધી પૈદ્રધ્યાન કહે છે.
એજ પ્રમાણે કેટલાક નામ ધારી શાહુકારે લેકને પિતાની મિઠાઈ બતાવી ઊંચાં ઊંચાં વસ, ભૂષણ, તિલક-છાપાં, માળા, કંઠી. વગેરેથી શરીર શણગારી, હાથમાં માળા ઝાલી મોટા ધર્માત્મા બની, ઊંચી ઊંચી ગાદી અને તકીઆ પર આડા પડી દુકાનમાં બિરાજતા હોય છે, કઈ શિકાર આવ્યું કે માળા ફેરવતા ફેરવતાં, ભગવાનનું નામ મુખથી બોલતાં બોલતાં, મીઠું મીઠું બોલી હાળા છવને પાન, સોપારી, બીડી વગેરે લાલચથી ભરમાવીને એવી ખબરદારીથી ઠગે કે કોઈની તાકાત નહિ કે તેનાં છળકપટ સમજે ભાવમાં, તેલમાં, બેલમાં, માપમાં, હિસાબમાં, જવાબમાં, ઠગાઈ કરી, જ્યાં લગી કૂટાય ત્યાં લગી કૂટવામાં ખામી રાખતા નથી, વિશ્વાસ ઉપજાવવા પાઇ પાઇ સારૂ પણ ગાય, દીકરા, પરમેશ્વર, ધર્મ વગેરેનાં સોગન ખાય છે; મનવાંછિત લાભ મળે ત્યારે ભારે આનંદમાં આવી જાય છે, સારે બતાવી ખરાબ માલ દે છે, સારે નરસે માલ ભેગો કરી આપે છે, હિસાબમાં અને વ્યાજમાં એન ઘર પાયમાલ કરે છે, એવાં એવાં અનેક ચેરી છળકપટનાં કામે ભર બજારમાં કરી શાહુકાર કહેવાય છે અને તેમાં પિતાની ચાલાકી ને હુશીઆરી માની ઘણ રાજી થાય છે, એને પણ ચૌર્યાનુબકી
ધ્યાન કહે છે.