________________
કરાવીને કુલીન સ્ત્રીઓને ભ્રષ્ટ કરે, ધને કાજે હિંસા કરવામાં દેષ નથી એવું ઠરાવે, બ્રહ્મચારી નામ ધરાવીને વ્યભિચાર સેવે, પિતાને કઈ મહાત્મા કહે તે બહુ ખુશી થાય, આ બધું મૃષાનુબંધી વૈદ્રધ્યાન છે. - બહેરા, આંધળા, લંગડા, વગેરે અપંગની, કેહ વગેરે હોય તેવા રેગીની, કમઅક્કલની ઈત્યાદિની મશ્કરી કરે, ખીજવે, ખીજાતા જોઈ આનંદ માને જૂગાર, ગંજીપે, શતરંજ વગેરે સહેજે જૂઠું બલવું પડે તેવા ખેલ ખેલી રાજી થાય, નકામા વિવાદમાં, સામાવાળાને દગાથી છેતરવામાં, જૂઠે પ્રપંચ રચવામાં, હાથ ચાલાકીથી અથવા ઈદ્રજાળથી અનેક કૌતુક બતાવવામાં, મંત્ર, જંત્ર વગેરેને આડંબર વધારી પોતાની પ્રતિષ્ઠા (મહિમા) સાંભળી ખુશી થાય; શાસ્ત્રને અર્થ કરતી વખત અથવા વ્યાખ્યાન દેવા ટાણે પિતાના મનની વાતને છૂપાવે, અને અર્થને ફેરવી અનર્થ કરે, જઠાં ગપ્પાં મારી સભાને રીઝાવી આનંદ માને, દયા, સત્ય, શીલ વગેરે તે ગુણ રહિત શાસ્ત્ર છે એમ કહે અને જેમાં ફક્ત લડાઈ, વિલાસ તથા કૌતુકની કથા હોય તેને સાંભળી પ્રસન્ન થાય; એ વગેરે સર્વ મૃષાનુબંધી રેશદ્રધ્યાન સમજવું. • • મૃષાનુબંધીને અર્થ બહુજ વિશાળ છે, પણ સારંશ એટલે છે કે બેટા કામમાં આનંદ માને તેનું નામ મૃષાનુબંધી રિદ્રધ્યાન જાણવું.
તૃતીય પત્ર–“તસ્કરાનુબંધી”. ૩. તસ્કરાનુબંધી રદ્રધ્યાન એટલે, यचौर्याय शरीरिणामहरहश्चिन्तासमुत्पद्यते । कृत्वा चौर्यमपि प्रमोदमतुलं कुर्वति यत् संततम् ॥ * શત=સો અને રંજઃખેદ એટલે સે વાર ખેદ કરાવનારી.