________________
૩
તૃષ્ણ શાંત થયા વિના દુખ મટતું નથી. આ વિચાર ઉપરથી નિશ્ચય થાય છે કે, આધ્યાન હમેશાં એકાંત (નરમ) દુખનું જ કારણ છે. જેવી રીતે આ ભવમાં આધ્યાન દુઃખદાતા છે, એથી પણ અધિક પરભવમાં દુઃખદાયક છે. જે મળેલી વસ્તુઓ પર અત્યંત આસક્તિ રાખે છે તેનાં કર્મ ઘણું કઠણ (ચીકણું) બંધાય છે, અને પછી એજ કર્મો દુર્ગતિમાં લઈ જઈ એવી તે પીડા આપે છે કે રોતાં રેતાં પણ છૂટાતું નથી. આ વિચાર કરી, સમ્યક્રશી” સાધુ અને શ્રાવકે આ આધ્યાનને ત્યાગ કરી સુખી થવાની તજવીજ કરે છે.
આ આર્તધ્યાન સકમ ( સંસારી ) જેની સાથે અનાદિકાળથી ચુંટયું છે અને એ ધ્યાન, વગરસંસ્કાર સ્વભાવથીજ ઉત્પન્ન થાય છે. પહેલી ક્ષણમાં તે રમણિક લાગે છે, તથાપિ અંતમાં અપથ્ય આહારની પેઠે દુઃખરૂપ છે. એના ચાર પાયા તે પાંચમા ગુણસ્થાનક લગી રહે છે અને નક્કી બે ત્રણ પાયા તે છઠ્ઠા ગુણસ્થાન લગી હોય છે. આ ધ્યાનવાળાને કૃષ્ણ, નીલ અને કાતિ એ ત્રણ અશુભ લેશ્યા રહે છે. આ ધ્યાનમાં મરનારની વિશેષે કરીને તીર્થંચ ગતિ થાય છે. આ ધ્યાન “હેય” એટલે છોડવા જોગ છે.
[ પરમ પૂજ્ય શ્રી કહાનજી ઋષિજી મહારાજના સંપ્રદાયવાળા બાળ બ્રહ્મચાર મુનિશ્રી અલખઋષિજી રચિત ધ્યાન કહપતરાની આધ્યાન નામે પ્રથમ શાખા સમાપ્ત ]