________________
ચતુર્થ પત્ર-મgવ.” | મgવ-માર્દવ એટલે લઘુતા, કમળતા અગર નમ્રતા, શુકલ ધ્યાની મહાત્માએ અભિમાનને તે સ્વાભાવિક રીતે મર્દન કરેલું હોય છે. તે જાણે છે કે આ જગતમાં ઘણું મટે અને જબરો શત્રુ અભિમાન જ છે. ઊંચે ચડેલાને અભિમાનથી નીચે પડવું પડે છે, દેવલેકના સુખમાં ગરક થયેલાને તિર્યંચની ગતિમાં અવતાર લેવું પડે છે, અભિમાનથી એવી એવી અનેક વિટંબના પડે છે. શુકલધ્યાની મહાત્મા વિચાર કરે છે કે અભિમાન કઈ વાતનું કરવું? અભિમાન પતે છે શું? જુઓ, કેઈ અભણ અને મૂર્ખ માણસને બીજો માણસ પંડિત કહે છે તે ચીડાય છે, નિર્ધન માણસને કે શ્રીમંત કહે તે તેને ખોટું લાગે છે અને મકર રૂપ માને છે, તે પ્રમાણે આ પણું કે વખાણ કરે છે તે ટાણે ડા માણસ એમ માને છે છે એ સંપૂર્ણ ગુણ મારા આત્મામાં છે નહિ તે મારે અભિમાન શા માટે કરવું જોઈએ? એ મારાં વખાણ નથી કરતે પણ મને ઉપદેશ દે છે કે, સત્ય, શીલ, દયા, ક્ષમાદિ ગુગે તમે ધારણ કરો. શુકલધ્યાની જીવ તે સર્વોત્તમ ગુણધારક હોય છે છતાં તેને પોતાના ગુણોનું કિંચિત્ માત્ર અભિમાન કેઈ કાળે હતું નથી. એ તે સદા નિરભિમાની હોય છે. વળી ગુણગ્રામ જે થાય છે તે તે ગુણના થાય છે અને એ ગુણને પિતાને અભિમાન થતું નથી. તે વચમાં હું તે શા માટે અભિમાન કરૂં? સંસારમાં કહેવત છે કે ફલાણુ માણસે ફલાણું સારી વસ્તુની પ્રશંસા કરી તેથી તે વસ્તુને નજર લાગતાં બગડી ગઈ તેજ પ્રમાણે તારા ગુણાનુ વાદ થતાં જે તું ફૂલાઈશ તે તારાજ ગુણોની ખરાબી થશે. એવું જાળી પિતાના ગુણોની ખરાબી કરવાના કેણુ ઉપાય કરે ?
* प्रिय प्राया वृत्ति विनयमधुरो वाचि नियमः । प्रकृत्या कल्याणी मतिरनवगीतः परिचयः ॥