________________
- ૯૯ વળી જે જે સગુણેની પ્રાપ્તિ થઈ છે, તે પિતાના આત્માને સુધારો કરવા માટે થઈ છે, છતાં બગાડે કર એ કેવી મોટી ભૂલ ગણાય. એવા એવા વિચાર શુકલધ્યાનીને સ્વાભાવિક ઉપજતા હોવાથી તેને આત્મા સદા નિરભિમાની ને નમ્ર હોય છે.
આ ચાર મોટા ગુણનું શુકલધ્યાનીને સ્વભાવથીજ આલંબન હોવાથી તે સદા અખંડ અપ્રતિપાતી ધ્યાનમાં રહે છે.
ચતુર્થ પ્રતિશાખા–શુકલધ્યાનીની અપેક્ષા.
सूत्र-सुक्कस्सणं इझाणस्स चत्तारि अणुप्पेहा पण्णता तं ઘણા () રવીયાણુ, (૨) ગણુમાણુcવે, (૨) ગનંતપચાવેણા, (૪) વિપરિમાણુપેહીં.
અર્થ–શુકલધ્યાન ધ્યાતાની ૪ અનુપ્રેક્ષા એટલે વિચારણા છે. (૧) અપાયાનુપ્રેક્ષા એટલે દુઃખથી છૂટવાને વિચાર, (૨)અશુભાઅક્ષા એટલે અશુભ પ્રવૃત્તિ વગેરેથી નિવર્તવાને વિચાર, (૩) અનંતવૃત્તિયાનુપ્રેક્ષા એટલે અનંત પ્રવૃત્તિઓથી છૂટવાને વિચાર અને (૪) વિપરિમાણપેક્ષા એટલે વિપરીત પરિણામેથી છૂટવાને વિચાર. એ ચાર પ્રકારની વિચારણા શુકલધ્યાની જીવને રવાભાવિક રીત થાય છે..
पुरो वा पश्चाद्वा तदिदमविपर्यासितरसं । रहस्यं साधूनामनुपधि विशुद्धं विजयते ॥
અર્થ-સાધુઓની શારીરિક ક્રિયા ઘણું કરીને પ્રિયકારક, વચન વિનયયુક્ત, નમ્ર, બુદ્ધિ સ્વભાવથી જ કલ્યાણકારી અને સંગ નિર્દોષ હેય છે. એટલા બધા ગુણો છતાં તેઓ ભૂતકાળ અને ભવિષ્ય કાળમાં એક સરખા સરળ સ્વભાવી, દંભરહિત અને પ્રમાદ વગેરે દુર્ગણોથી મુક્ત રહે છે, એવા સત્પષનું રહસ્ય હમેશાં વિજયવંત હોય છે.