________________
૯) આષધ ગહિના ૮ ભેદ–(૧) આમ સહી = ચરણરજ
(પગની ધૂળ) ના સ્પર્શથી, (૨) ખેલસહી નાકની લીટ, મેંમાનું થુંક વગેરેના સ્પર્શથી, (૩) જલસહી = શરીરના પરસેવાના સ્પર્શથી, (૪) મેલેસહી કાન, નાક, આંખ વગેરેના મેલના સ્પર્શથી. (૫) વિપસહી વિષ્ટા અને મૂત્રનો
સ્પર્શથી. (૬) સોસહી=સર્વને સ્પર્શ થતાં. એ છ પ્રકારને સ્પર્શ રેગીને થાય તે તેના સર્વ રોગ નાશ થાય છે. (૭) આસીવિષ-વિષ હોય તે અમૃતરૂપ પ્રગટે તથા માત્ર વચન સાંભળતાં તમામ ઝેર ઉતરી જાય. (૮) દ્રષ્ટિવિષ = માત્ર કૃપા દ્રષ્ટિથી તમામ ઝેર અમૃતરૂપ થઈ જાય, મહાવિકારી હોય તે નિર્વિકારી બને, પણ કેપવાળી દ્રષ્ટિથી જુએ તે
અમૃતમાંથી ઝેર થઈ જાય, એવા મહા શક્તિમાન હોય છે. (૭) રસ રદ્ધિના ૬ ભેદ--(૧) અક્સીવિષા-માત્ર ધાતુર
વચનથી, અને (૨) દ્રષ્ટિવિષા-દ્રષ્ટિ માત્રથી બીજાના પ્રાણને નાશ કરી શકે, (૩) ખીરાવ-નિરસ (રસ રહિત) આહાર હોય તેને હાથ લગાડે ત્યાં તે દૂધ જે મીઠે થઈ જાય અને વચન સંભળાવતાં નિર્બળ હોય તેને પુષ્ટ બનાવી શકે, (૪) મહરાવી -કડે રાક હોય તેને સ્પર્શ કરે ત્યાં મધુર થઈ જાય, અને તેનાં વચન મધુર મધ જેવાં પ્રગમે, (૫) સપિરાસવીલુ આહાર હોય તેને સ્પર્શ કરતાં ઘીથી ચેપડ્યા જે થઈ જાય અને વચન સંભળાવતા રોગ સમાઈ જાય, (૬) અમરાસવી-વિષને સ્પર્શ કરતાં તે
અમૃત જેવું થઈ જાય, અને વચનથી ઝેર ઉતારી શકે. (૦ ક્ષેત્ર ત્રાદિના ૨ ભેદ–(૧) અખીણમાણસી થાય
આહાર હોય તેને અડતાં ચક્રવર્તિનું સૈન્ય જમે તે પણ ખૂટે નહિ તેટલે થઈ જાય, (૨) અખીણુ મહાલય-સ્પર્શ માત્રથી જોજન, વસ્ત્ર, માત્ર, સર્વે અખૂટ થઈ જાય,