________________
ર૪૩
લ), કેવી આનંદની વાત છે કે આ આત્મા, આત્માદ્વારા એજ ઓળખાય છે, તેને ચશ્માં, દૂરબીન કે કઈ બીજાના આશરાની જરૂર નથી. તારી મેળેજ તું તારા આત્માને જોઈને એાળખ.. - (૧૦). વિશેષ આશ્ચર્યની વાત તે એ છે કે, જે વિષથી ભરેલા વિષય અને પદાર્થો અજ્ઞાનીઓને પ્રીતિ ઉત્પન્ન કરનારા છે તે જ્ઞાનીઓને અપ્રિય અને દુઃખદાયક લાગે છે. વળી સંજમ, તપ, ” જપ, વગેરે અજ્ઞાનીઓને દુઃખ અને અપ્રીતિ ઉત્પન્ન કરે એવા જણાય છે તે જ્ઞાનીઓને સુખ અને આનંદ આપે એવા ભાસે છે.
(૧૧), “ એજ, એજ હું છું” એવી રીતે એકાંતભાવના કેઈ કરે તે આત્મા તે પદને પ્રાપ્ત થાય છે. “ગપ્પા જે ઘરમ ” એટલે આત્મા છે તે જ પરમાત્મા છે, અને એજ આત્મા ૫રમાત્માના પદને મેળવે છે એથી વિશેષ સદ્ધ બીજે કયે છે?
(૧૨). જે હું મારી ઉપાસના શરૂ કરું તે મારે બીજા કેઈની ઉપાસના કરવાની જરૂર નથી, કારણ જેવો પરમાત્મા છે. તેજ હું છું+
અન્યમતિ પણ કહે છે કે-“આત્મા ચીને સે પરમાત્મા” प्रीतिसी न पाति कोउ, प्रेमसे न फूल और, चित्तसो न चंदन, स्नेहसो न सेहरा ; हृदयसो न आसन, सहजसो न सिंहासन, भावसो न सुन और, सुनसो न गेहरा; शीलसो न स्नान नाही, ध्यानसो न धूप और, સાનો ન વીપ, અજ્ઞાન તમો દુરી; मनसो न माला कोउ, सोहं सोहं जाप नाही; आत्मासो देव नाही, देहसो न देहरा. ॥१॥