________________
પાયા છે. શ્રદ્ધારૂપી દ્રઢ પાયા વિનાની ધર્મનૉ ઇમારત તદ્દન નકામી છે; શ્રદ્દાની ન્યૂનતા તેટલીજ સિદ્ધિ દૂર. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્નામાં દન એટલે શ્રદ્ધાજ પ્રથમ પદે છે, તે આવ્યાથીજ ત્રણે રત્ન, રત્નરૂપે છે.
જ્ઞાન, દર્શન, અને ચારિત્ર એ ત્રણ રસ્તે છે, પણ તેનાં ખરાં નામ જ્ઞાન નહિ પણ સમ્યક્ જ્ઞાન, દર્શન નહિ પણ સમ્યક્ દર્શન અને ચારિત્ર નહિ પણ સમ્યક્ ચારિત્ર એમ સમજવાનું છે, ટુંકામાં સમકિત્ વગરનું જ્ઞાન કે ચારિત્ર ( કરણી કરવી-ક્રિયા પાળવી ) નકામાં છે. ખરૂ જ્ઞાન અને તેપર ખરી શ્રદ્ધા તેજ સમકિત છે અને પછી તે પ્રમાણે પાળવું તે ખરૂં ચારિત્ર છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુ કમાવે છે કે:
नाहु दंसणिस्स नाणं, नाणे विणा न होइ चरणगुणा । अगुणीस्स नत्थि मोख्खो, नत्थि अमोख्ख निव्वाणं ॥
-
સમકિત વિનાનું જ્ઞાન તે જ્ઞાન નહિ, સમ્યક્ જ્ઞાન વિનાનું ચારિત્ર તે ચારિત્ર નહિ, સમ્યક્ ચારિત્ર વિના મેક્ષ નહિ; મેાક્ષ વિના કથી નિવૃત્તિ એટલે નિર્વાણુ દશા નહિ. આ ઉત્તરાધ્યયનછ સૂત્રની ગાથના દરેક સાધુ શ્રાવકે ખાસ વિચાર કરવાને છે, અને તેમાં મુખ્ય આધાર સમ્યક્ત્વ ઉપરજ મૂકયા છે તે વાતનું રહસ્ય હૃદયમાં ઉતારવાનું છે.
સમકિત પાળવું એ સંસારનેા પાર પામવા બરાબર છે, સમાંવાત્ જીવતે મેહ અને દ્વેષની સજ્જડ ગાંઠ હેાતી નથી. ક્રોધ, માન, કપટું અને લાભ કંઇ ઢીલા પડે ત્યારેજ જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે,
સમ્યક્ત્વ એ કાંઇ ક્રિયા નથી પણ ચિત્તની ખરી શ્રદ્ધા છે, ચિત્રની પવિત્રતા છે. આથીજ મનુષ્યા તેા શુ' પણ જે વ્રત પચ્ચખાણ વગેરે ક્રિયા ખીલકુલ કરી શકતા નથી છતાં કેટલાક દેવતા, મનુષ્ય તથા નારકીને અરે કાષ્ટ પશુને પણ સમ્યક્ત્વ હાય છે,
સમ્યક્ત્વ પ્રાપ્ત થયા સિવાય કાઇને મેક્ષ મળતેાજ નથી. જેમનું હૃદય સમતાવાળું હોય છે તેને સંસારની મેાજમજામાં અંદરથી ખેાછી પ્રીતિ હાય છે, તેમજ કાઇપણ દુ:ખી જીવને જોઇને તરત 'અનુકંપા ભાવે છે, અને મારા આત્મા માાં કરેલાં પુણ્ય પાપ