________________
કજ ભોગવે છે, “ આત્મા-અમર-અજર-અવિનાશીનિત્ય છે,” “ફલાણા ફલાણા સિદ્ધાતે આચર્યાથીજ માસ આત્માને કર્મથી મુકત કરી શકાશે,” વગેરે, ખરા ધર્મપર ભારે પ્રીતિ હોય છે.
સમ્યકત્વનું બીજું નામ સમ્યક્રશન પણ છે, દર્શન, એટલે અવલેકવું, નિહાળવું પણ તેમાંએ યથાર્થ–ખરૂં નિહાળવું તેજ સત્ય છે. સમ્યક્ દર્શન થવા માટે ખરી નજરની અથવા સમ્યક્ દ્રષ્ટિની પૂર્ણ જરૂર છે, એવી નજર થયાથીજ ખરી બાબતોની ઓળખ પામી તેની, શ્રદ્ધા થાય છે અને ઉંચી સ્થિતિ પર ચડાય છે. એવી સ્થિતિ પર ચડતાં જીવને, રાગ દ્વેષ રહિત અને પવિત્ર હોય તે મારા ખરા દેવ, નિસ્વાથી અને સર્વ જીવોના રક્ષક અને મમતા રહિત હોય તે જ મારા ખરા ગુણ, અને સર્વ પ્રાણીઓ તરફ દયા ભાવ રખાવે તેજ મારે ખરે ધમ વગેરેની ઓળખાણ અને પ્રીતિ થાય છે.
આ પ્રમાણે સમકિતનું સ્વરૂપ છે છતાં તેની વિશેષ ઓળખાણ માટે શાસ્ત્રમાં બહુ બહુ રસ્તા બતાવ્યા છે તેમાંના કેટલાક નીચે પ્રમાણે,
સમકિતના પ્રકાર (૧) સાસ્વાદન (૨) ઉપશમ (૩) ક્ષપશમ () વેક (૫) ક્ષાયક એમ પાંચ પ્રકા- નાં સમકિત છે. કેટલાક આ પાંચ સમકિતમાંથી સાસ્વાદન અને વેદકને ન ગણતાં ઉપશમ, સોપશમ, અને ક્ષાયિક એમ ત્રણજ સમકિત ગણે છે.
બીજી રીતે ત્રણ પ્રકારનાં સમક્તિ (૧) કારક (૨) રોચક (૩)દીપક , વળી બે પ્રકારે સમકિત (૧) નિશ્ચય સમકિત (૨) વ્યવહાર સકિત,
વ્યવહાર સમતિના છ બોલ, - ૪ શ્રદ્ધના, ૩ લિંગ, ૧૦ વિનય, શુદ્ધતા, ૫ લક્ષણ, ૫ ભૂષણ, ૫ દૂષણ, ૮ પ્રભાવના, ૬ યત્ના, ૬ ભાવના, ૬ સ્થાન અને ૬ આગાર મળી કુલ છ બોલ વ્યવહાર સભ્યત્વના છે.