________________
ફતહ પામીશ, અને આ બધા મને આ જગતમાં ગુજરાતનું પૂરેપૂરું સાધન મેળવી આપી ધન, સંપત્તિ અને પદવી પ્રાપ્ત કરાવશે જ એવી શ્રદ્ધા વિના દુનિયાદારીના કામમાં પણ માણસ રખડી મરે છે, તે જે કામમાં એક ભવનું નહિ પણ અનંત ભવનું દુઃખ ટાળવું છે, અનંત અક્ષય અને સારા કાળનું સુખ પ્રાપ્ત કરવું છે, મહાન પદવી હાથ કરવી છે, તેવા કામમાં એટલે વીતરાગી સત્ય દેવ, અધમોદ્ધારક ગુરૂ અને સત્ય દયા ધર્મને જાણ વામાં, શ્રદ્ધા વિના એકડા વગરનાં મીંડાંજ છે. લૌકિકમાં પણ “મન વિનાનું મળવું? “શ્રદ્ધા વિનાનું દાન “કાંઈક શ્રદ્ધાને કાંઈક જોરાવરી” “દેવ નહિ પણ શ્રદ્ધાજ ફળે છેઝ વગેરે કહેતીઓથી શ્રદ્ધા કેટલી દિવ્ય, પૂજ્ય, બલિષ્ઠ અને ચમત્કારિક ચીજ છે તેને નિશ્ચય થાય છે. ગમે તેટલું જ્ઞાન (વ્યાકરણ-કેષ-તત્વજ્ઞાન-થેકડાઓ તમામ સૂ) કડકડાટ કઠે હોય, હજારો નહિ પણ લાખો મનુષ્યને ચકિત કરી શકે તેવી વાણી હેય, ત્રણે કાળની ક્રિયા અતિશય ચેખી હેય છતાં મનમાં, તે તમામ પર પોતાને શ્રદ્ધા ન હોય તો ચોખા વિનાની કમદ, બીજ વગરની ભેય, એકડા વગરનાં મીંડાં, ક્ષાર જમીનમાં વાવેતર અને છવ વિનાના દેહ જેવું છે.
એવું સમક્તિ પૂર્વ જન્મના સંસ્કારી તીર્થંકરાદિ છવને ગર્ભથીજ હેય છે, પણ તેવાં સંસ્કારી જીવ બહુ થોડા હેય. કેાઈને ગુરૂદ્વારા જ્ઞાન મેળવતાં પ્રાપ્ત થઈ જાય છે અને કોઈને કર્મ પાતળાં પડતાં અસાધારણ બુદ્ધિના પ્રતાપે ખરા ધર્મના શ્રવણ-વાચન-મનનને કે બીજે જોગ મળતાં આપોઆપ પણ પ્રાપ્ત થાય છે.
ગમે તેમ હોય પણ ભાષા સંબંધી, ચર્ચા સંબધી, વાદવિવાદ સબંધી કે ધર્મ સંબંધી ગમે તેટલું જ્ઞાન મેળો પણ તે જ્ઞાનપર શ્રદ્ધા આવ્યા પછી જ તે જ્ઞાન, સજ્ઞાન છે. નહિ તે તે જ્ઞાન અજ્ઞાનઅવિધા-મિથ્યા જ્ઞાન છે. જ્ઞાન એ જ્ઞાન નથી પણ શ્રદ્ધાવાળું જ્ઞાન તેજ જ્ઞાન છે. ચારિત્ર એ ચારિત્ર નથી પણ શ્રદ્ધાવાળું ચારિત્ર તેજ ચારિત્ર છે. પ્રથમ જ્ઞાન મેળવવું એ વાત સાચી છે યણ તે જ્ઞાનપર જ્યાં લગી શ્રદ્ધા ઉત્પન્ન થઈ નથી ત્યાં લગી તે માત્ર કંકજ્ઞાન છે –હત્યમાં પ્રગમેલું, ભવાટવીને પાર પમાડનારૂં
અજરામર કરનારું જ્ઞાન નથી. એ ખાસ યાદ રાખવાનું છે. આ -- ઉપરથી સાવ સ્પષ્ટ થાય છે કે શ્રદ્ધા એજ ધર્મ-જ્ઞાન-એક્ષને