________________
ર૪
કે જુલમી લેકે કઠણ બધિનથી બાંધે છે ગજા ઉપરાંત ભાર ખેંચાવે છે અથવા માથે નાંખે છે, સખ્ત માર મારે છે, ઘણે દૂર સુધી ચલાવે છે, દુઃખથી, રેગથી, કે થાકથી બેભાન થઈ પડી જાય તે શ્વાસ રેકી (મુંગે દઈ) ઉઠાડે છે, પૂરું ખાનપાન ન આપતાં પૂરું કામ કરાવે છે અને સ્વાર્થ સારી રહે ત્યારે કૃતકની બની કસાઈ વગેરેને વેચી દે છે. કસાઈઓ તેને ઝેરથી કે શસ્ત્રથી અકાળે રીબાવી રીબાવીને મારે છે. એવા ગરીબ પર કરૂણ રાખનાર કોણ છે? એવી તિર્યંચ ગતિમાં આપણે જીવ અનંત વખત ઉપજીને દુઃખ ભેગવી આવ્યું છે.
(3) મનુષ્ય ગતિ--મનની ઈચ્છા પ્રમાણે સાધન કરી શકે તે મનુષ્ય-એ મનુષ્યના ૩૦૩ ભેદ છે. અસી, મસી અને
કસી એ ત્રણ ધંધાથી પિતાનું ગુજરાન ચલાવે તેને કમ ભૂમિના મનુષ્ય કહે છે. એ કર્મભૂમિના મનુષ્યની ઉત્પત્તિનાં ૧૫ ક્ષેત્ર છે. ૧ ભરત, ૧ ઇરવત, અને ૧ મહાવિદેહ એમ ત્રણ ક્ષેત્ર જબુદ્વીપમાં છે. ૨ ભરત ૨ ઈરવત અને ૨ મહાવિદેહ એમ છ ક્ષેત્ર ઘાતકી ખંડમાં છે અને એ જ પ્રમાણે બબ્બે હેવાથી છ ક્ષેત્ર પુષ્કરાદ્ધ દ્વિીપમાં છે. એમ કર્મ ભૂમિનાં કુલ ક્ષેત્ર ૧૫ છે. ઉપર જણાવેલ ત્રણ પ્રકારને વ્યાપાર કર્યા વિના દશ પ્રકારનાં કલ્પવૃક્ષ થી જેની ઉપજીવિકા (ભરણ પોષણ) થાય છે તેઅકર્મ
* [૧]હથિયાર શાસ્ત્ર શીખીને[૨]લખવાના વેપારથી [૩] ખેતીના ધંધાથી.
(૧) મતંગાવૃક્ષ-મધુર રસ આપે, (૨) સિંગાવૃક્ષ-વાસણ આપે, (૩) તુંડિયંગા વૃક્ષ-વાજિંત્ર સંભળાવે, (૪) દિવવૃક્ષ-દિવાને પ્રકાશ કરે, (૫) જોઈવૃક્ષ–સૂર્યની પેઠે પ્રકાશ કરે, (૬) ચિત્તગાવૃક્ષ-વિચિત્ર રંગના પુષ્પના હાર આપે, (૭) ચિત્તરસા વૃક્ષ-ઈચ્છિત ભોજન આપે, (2) મણગા વૃક્ષ-રત્ન જડિત ભૂષણ આપે (૯) ગિહગારા-રહેવાને માટે સારું મકાન આપે, અને (૧૦) અણિયાણાઓ વૃક્ષ- શ્રેષ્ઠ વસ્ત્ર આપે ત્રીશઅકર્મ ભૂમિ અને છપન અંતર દ્વીપમાં રહેનારાં મનુષ્યની આ દશ પ્રકારના કલ્પવૃક્ષથી ઈચ્છા પૂરી થાય છે.