________________
૧૭૬ આ દ્વાદશાંગી એટલે શ્રી જિનેશ્વર ભગવાનની વાણી -અગાધ જ્ઞાનને સાગર છે, તત્વજ્ઞાનથી પ્રતિપૂર્ણ ભરેલી છે જ્ઞાતાને અપૂર્વ ચમત્કાર હૃદયમાં ઉત્પન્ન કરે છે; અત્મિસ્વરૂપ બતાવનારી, મિથ્યા બ્રમ મટાડનારી, મેહ પિશાચને નસાડનારી, મોક્ષ પથે ચડાવનારી અને અનંત અક્ષય અવ્યાધ સુખને ચખાડનારી છે. શ્રી જિનેશ્વર ભગવંતની વાણુજ ગુણની ખાણ છે. તેના પઠન, શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવામાં ધર્મધ્યાની મહાત્મા સદા પ્રેમાતુર રહે છે. એકેક શબ્દ અત્યંત ઉત્સુક્તાથી ગ્રડણ કરી તેના રહસ્યમાં અંતઃકરણને પ્રવેશ કરી, એકાગ્રતાથી લીન થઈ અપૂર્વ અનુપમ આનંદ પ્રાપ્ત કરે છે.
તૃતીય પ્રતિ શાખા- ધર્મધ્યાનીનાં
આલમ્બન,
સવ-ધમણ જ્ઞાન વારિ ગાઈવ પviા
તં નહાવાયા, પુછા, પય, વા. અર્થ–-ધર્મધ્યાન કરનારને ચાર આલંબન (આધાર) ફરમાવ્યા છે. જેવી રીતે વૃદ્ધ મનુષ્યને માર્ગક્રમણ કરવામાં લાકડી આધારભૂત થાય છે, અને જેમ મહેલ ઉપર ચઢવાને નિસરણીનાં પગથી આધારભૂત છે, તેવી રીતે ધર્મધ્યાનમાં પ્રવૃત્ત થનાર મહાત્માને જે ચાર પ્રકારના આધાર હોય છે તે કહીએ છીએ -- (૧) “વાયણ –(વાચના)-સૂત્રનું પઠન, (૨) “પુછણ” (પૃચ્છના) -સંદેહ નિવારણ અર્થે ગુરૂને પૂછવું તે, (૩) પરિયડ્ડના' (પરિવતેના)-શીખેલા જ્ઞાનને વારંવાર સંભારવું (ફરી સંભારી જવું, અને (૪) ધમકહા” (ધર્મ કથા )-ધર્મની કથા ( વ્યાખ્યાન ). કહી, પ્રગટ કરવી.