________________
૧૫ર મારીમાં પેશાબ કરે તે મરીને વિલેંદ્રિય જીવ (બેઇદ્રિય, તેઇઢિય. ચંદ્રિય જીવ) થાય. * (૭) પ્ર–અંગ ઉપાંગ રહિત શરીર શાથી થાય?
ઉ–જીના હાથ, પગ, કાન, નાક, આંખ, આંગળી વગેરે અંગોપાંગનું છેદન ભેદન કરે, કાન કાતરે, વીંધે અગર કાંગરી કરે અને તેને જોઈને હરખ પામે તે અંગે પાંગ રહિત જીવ થાય. (૭૫) પ્ર–પૂર્ણ અંગવાળ શાથી થાય?
ઉ–બીજાનાં અપાંગ છેદન થતા જોઈ પોતે તેનું રક્ષણ કરે, અપંગ જીવ પર દયા લાવે, અપંગને સુધારવાને દવાદારૂ કરે, અપંગનું ગુજરાન ચલાલે, તેમજ મદદ દેતે સંપૂર્ણ અંગવાળે જીવ થાય.
(૭૬) પ્રવ–નીચ જાતમાં શાથી ઉપજે ? * ઉ–પિતાની ઊંચ જાત હોય ત્યારે કુળનું અભિમાન કરે, ઊંચ જાતિની નિંદા કરે, દ્વેષ કરે, અને નીચ કૃત્ય કરે તે નીચ જાતિમાં ઉપજે,
(૭૭) પ્ર—ઊંચી જાત શાથી પામે? આ ઉ–સપુરૂષના ગુણનાં વખાણ કરે, તેમને વંદના નમસ્કાર કરે, પિતાના દુર્ગુણ પ્રગટ કરે, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એ ચાર તીર્થની ભક્તિ કરે, એ જીવ મનુષ્ય જન્મ પામે તે રાજાને માનીતે થઈ, સુખ ભેગવે. (૭૮) પ્ર-~ઊંચ જાતિમાં છતાં દાસપણું શાથી કરે?
ઉ– ઊંચ કર્મ કરતાં કરતાં અભિમાન કરે, ગુરૂની આજ્ઞાને ભંગ કરે, ઊંચ થઈ ગરીબ પર આળ ચડાવે, ઊંચ છતાં નીચ ધંધા કરે, તે ઊંચ જાતિને છતાં દાસપણું કરે.
(૭૯) પ્ર–આજીવિકા (ગુજરાત) માટે પરદેશ શા માટે
ફરવું પડે?