________________
૧૫૦
પામે, શાસકર્તા ગણધર આચાર્યોનાં વખાણ કરે, જ્ઞાનવૃદ્ધિમાં ધન વાપરે, ધર્મની કવિતા કરનારાઓને મદદ આપે, ધમની કવિતાનાં રહસ્ય જાણી બહુ હરખ પામે છે તે વિદ્વાન સુકવિ થાય.' | (૬૩) પ્ર–લાંબી આવરદા શાથી પામે?
ઉo--દ્રવ્ય દઈ કસાઈના હાથમાંથી છને છેડાવે, તે ઈને ખાન, પાન, સ્થાનની સહાયતા આપે, બંદીવાનને છોડાવે, સંસારના કામ પર ઉદાસીનતા રાખી વતે, દયા ભાવ રાખે, ગરીબ અને અનાથને મદદ કરે, સાધુને નિર્દોષ શુદ્ધ આહાર વગેરે આપે તે લાંબી આવરદાવાળે થાય. (૬) પ્ર–ઓછી આવરદાવાળે શાથી થાય?
ઉ૦--જીવઘાત કરે, ગર્ભ ગળાવે, આજીવિકાને નાશ કરે, જૂ, માંકડ વગેરેને મારે, સાધુને ખરાબ અને દુઃખકારી આ હાર વગેરે આપે, શુદ્ધ આહાર લેનાર સાધુને અશુદ્ધ આહારાદિ આપે, અગ્નિ, ઝેર, હથિયાર વગેરેથી જેને મારે, તે અલ્પાયુષી
થાય.
(૬૫) પ્રહ–હમેશાં ચિંતાતુર શાથી રહે?
ઉ–-ઘણા જીવને ચિંતા ઉપજે એવી વાત કર્યા કરે તે સદા ચિંતાતુરપણું પામે. (૬૬) પ્ર–સદા નિશ્ચિત (ચિંતા રહિત) શાથી રહે?'
ઉ––બીજાની ચિંતા મટાડે, ધર્માત્મા છને જોઈ ખુશી થાય, દુઃખથી પીડાતા અને સંતોષ ઉપજાવે, તે હમેશાં નચિંત રહે. (૬૭) પ્ર––દાસપણું શાથી પામે?
ઉ–-નેકરેને બહુ પીડા આપે, તેનાથી બહુ કામ છે, કુટુંબ પરિવાર અને લશ્કરનું અભિમાન રાખે તે તે ઘણા માણસોને દાસ બને. ' (૯૮) પ્ર–માલેક શેઠ) શાથી બને?