________________
૧૪૨
ઉ—ખીજાના દીકરાઓને અવળુ' સમજાવી મામાપના અવિનય કરાવે, પિતા પુત્રના ઝઘડા જોઈ ખુશી થાય, માબાપ અને છેકરામાં કુસંપ કરાવે, પોતાનાં માતા પિતાને દુઃખ આપે, ઋણુ અને થાપણુ દખાવે તે તેના પુત્ર કુપુત્ર થાય.
(૧૮) પ્ર૰--સુપુત્રા શાથી થાય ?
૩૦-પેાતે માત પિતાની ભક્તિ કરે, બીજાને તેવી ભક્તિ કરવાના બાધ કરે, પુત્રને ધર્મ માર્ગમાં જોડ, સુપુત્રાને જોઈ હરખાય, તે પોતે સુપુત્રવાળા થાય.
(૧૯) પ્ર૦-કુભારજા શાથી મળે ?
ઉ-ધણી ધણીઆણીમાં કલેશ કરાવે, વર વહુને કજી કરતા જોઈ હરખ પામે, આઇડીઆને ભેળવે, તેને વ્યભિચારિણી અનાવે, સતી સ્ત્રીઓની નિંદા કરે, તેનાપર કલંક ચડાવે, અને બીજાની સારી સ્ત્રી દેખી દુ:ખી થાય તે પાતાને કુભારજા મળે, (૨૦) પ્ર૦-સુભાk ( સતી સ્ત્રી ) શાથી મળે ?
ઉ—પાતે શીયળ પાળે, વ્યભિચારિણી સ્ત્રીઓના સમાગમે રહે નહિ અને વ્રત ભાંગે નહિ, કુલટા સ્રીઓને સુધારે, સતી સ્ત્રીઓનાં વખાણ કરે, તેમને મદદ કરે, અને વર વહુના વિશેષ મટાડે તે ભલી સ્ત્રી મળે.
(૨૧) પ્ર૦—માનભંગ ( માનહીન ) શાથી થાય ?
ઉ——ખીજાનું માન ખંડન કરે, માતા, પિતા, ગુરુ, વૃદ્ધ વગેરેના વિનય ન કરે, ગરીબ અને બુદ્ધિહીનના તિરસ્કાર કરે, પોતાના શત્રુનું અપમાન સાંભળી ખુશી થાય, પોતાના માઢાથી પોતાનાં વખાણ કરે, પોતાના ગુણુની ઢાઈ કરે, ગુણવાનના દ્વેષ
* વવાઇજી સૂત્રમાં ફરમાવ્યું છે કે માત પિતાની ભક્તિ કરવાથી ૬૪૦૦૦ વર્ષની આવરદા વાળા દેવતા થાય.