________________
કરે કે આ બધા પદાર્થ જુદી વસ્તુ છે, અને હું શુદ્ધ ચૈતન્યરૂપ જૂધ વસ્તુ છું. એ મારાં નથી હું એને નથી. એ બધાં મને રખડાવે છે. જે આ રીતે સર્વ દ્રવ્યથી અલગ થવાય તે પિતાના સ્વરૂપને મેળવીને અનંત સુખના ભક્ત થવાય.
૬. અશુચિ ભાવના--આ શરીરને સ્વચ્છ કરવાને કેટલાક મનુષ્ય, પાણીના અસંખ્ય જીને ઘાત કરે છે. વિષ્ટાના ઘડાને સાફ કરવા જેવી આ રીત છે. આ શરીર, માતાના રજ તથા પિતાના શુકના સંગથી પેદા થયેલ છે. પછી દૂધ અને વિષ્ટાના ખાતરથી પેદા થયેલા પદાર્થોના ભક્ષણથી વૃદ્ધિ પામતું ગયું. જે જે પદાર્થોની આ શરીરમાં વૃદ્ધિ થઈ તે સર્વે પણ અશુચિમય છે. આ શરીરના સાગથી તેમાં આવેલા શુચિ પદાર્થ પણ અશુચિ રૂપ થાય છે. સારા સારા ખેરાક તેમાં પડે છે તે વિષ્ટારૂપે, મૂવરૂપે, લીટરૂપે એમ અનેક રીતે અશુચિરૂપ બને છે. સુરભિગંધવાળા પદાર્થો આ શરીરના સાગથી દુરભિગંધરૂપ બને છે. મનેહર પદાર્થો દુગંછનીય બને છે. ઘણા કાળથી ઘણું સંગ્રહ કરેલા પદાર્થો આ શરીરને સંબંધ થતાં ઉકરડાપર નાંખવા જેવા બને છે. આ શરીરના દ્વારમાંથી નીકળતા સર્વ પદાર્થ જોઈ આપણને છીટ આવે છે. આ શરીરના કેઈપણ ભાગપર પ્રેમ ઉત્પન્ન થાય એવું કંઈ છે જ નહિ છતાં મેહ મદિરા પીને છકી ગયેલા જીવે અશુચિમય આ શરીરને પ્રાણપ્રિય માને છે. આથી વિશેષ અજ્ઞાન દશા બીજી કઈ! શરીરના જે જે ભાગે પિતાને અતિશય વહાલા લાગે છે તે જૂદા કરી તેના જ હાથમાં દઈએ, જુઓ કેવાક પ્યારા લાગે છે ! વગેરે વગેરે વિચાર કરી આ અશુચિથી ભરેલા શરીર૫રથી મમતા છોડી, તેમાં રહેલે આત્મા કે જે પરમ પવિત્ર જ્ઞાનાદિ રત્ન ધારક છે તેને અશુચિરૂપ કેદખાનામાંથી છોડાવવાને માટે બ્રહ્મચર્ય વગેરે પવિત્ર વ્રતને ધારણ કરવા અને પરમ પવિત્ર મેક્ષસ્થાન મેળવવું એજ ખરે પુરૂષાર્થ છે. '