________________
અનંતીવાર જન્મે અને મૃત્યુ પામ્યા અને ક્ષેત્રસંસાર કહે છે. (૩) અવસર્પિણી તથા ઉત્સર્પિણને વખત જે ૨૦ કડાક્રોડ સાગરને છે તેના એકેક સમયમાં આ જીવ અનંત જન્મ મરણ કરી ચૂક્યા છે એને કાળસંસાર કહે છે. (૪) કે, માન વગેરે ચાર કષાય, મન વગેરે ત્રણ જેગ, પ્રકૃતિ વગેરે ચાર બંધ, એ બધા ભાવેને જીવે અનંતી વખત ગ્રહણ કરી છેડી દીધા છે એને ભાવસંસાર કહે છે. એવી રીતે ચાર પ્રકારના સંસારમાં આ જીવ અનાદિ કાળથી પરિભ્રમણ કરતે છતાં થાક્ય નથી. હવે આ સંસારના પરિભ્રમણપર, તેનાથી નિવર્તવા સારૂ જે ઉદાસી ભાવ લાવશે તેજ મોક્ષે પહોંચશે.
૪. એકત્વ ભાવના–આ જીવને આત્માના સહજાનંદ સુખની સામગ્રી બતાવનાર કેવળજ્ઞાન છે. એ કેવળજ્ઞાનમાં અનંત ગુણ રહેલા છે. એ કેવળજ્ઞાન જ આત્માનું સ્વાભાવિક શરીર છે. એજ કેવળજ્ઞાન અવિનાશી હિતકારક છે. સ્વજન વગેરે કેઈપણ દ્રવ્ય હિતક્ત છેજ નહિ. કેવળજ્ઞાન, કેવળદર્શન વગેરે નિજગુ સિવાયના બીજા પદાર્થો મનને સંકલ્પ વિકલ્પ ઉપજાવે છે, અને અનેક પ્રકારનાં દુઃખ આપે છે. એવું જાણી બધી બાહ્ય વસ્તુઓ પરથી મમત્વભાવ ઉતારી એક આત્માપરજ જે દ્રષ્ટિ જમાવશે તેજ પુરૂષ આત્મદ્રવ્યને તપાસ કરી નિજાનંદ-સહજાનંદ સુખને મેળવશે.
પ. અન્યત્વ ભાવના–આ જગતમાં આપણે કેટલાક સજીવ પદાર્થોને આપણું કુટુંબ માનીએ છીએ અને કેટલાક નિર્જીવ પદાર્થને સહાય દેનાર તરીકે ગણીએ છીએ. પણ તે બધાં કર્માધીન તથા કર્મથી ભરેલ છે. તે બિચારાં પિતે સુખી નથી થઈ શક્તાં તે આપણને સુખ કયાંથી દેશે? તેઓ પિતાને નાશ થતે અટકાવી નથી શકતાં તે આપણને શી રીતે બચાવી શકશે? આટલે બધે કાળ આ સંસારમાં આપણે જીવ દુઃખી રહ્યા છે એ પદાથેજ પ્રતાપ છે. એ નિશ્ચય કરી હે જીવ! એ વિચાર