________________
હર
ચતુર્થાં પત્ર—‹ પ્રાણાયામ ”,
“ तस्मिन्सति श्वासप्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः ". અર્થાત્—શ્વાસેાશ્વાસને રાકવા તે પ્રાણાયામ.
પ્રાણાયામ કરનારને શુદ્ધ સ્થાન, સ્વચ્છ બિછાનું, ચિંતા રહિત મન અને રોગ રહિત શરીરની પૂરેપૂરી જરૂર છે. જમીને તેમજ મળ મૂત્રાદિ હાજત દૂર કર્યાં વિના પ્રાણાયામની ક્રિયા કરવી ચોગ્ય નથી. આ વાતને પૂરેપૂરો વિચાર કરી ઉપર કહેલા આસનપર સ્થિર થઈ પ્રાણાયામની ક્રિયાને પ્રારંભ કરવા જોઈએ. પ્રથમ પોતાના ઈષ્ટદેવનું સ્મરણ અને અગર અન્ મંત્રના જાપ કરવા. પછી એવા સંકલ્પ કરવા કે હું શરીર શુદ્ધિને માટે પ્રાણાયામ કરૂં છું. આ પ્રમાણે સકલ્પ કર્યા બાદ પ્રાણાયામની ક્રિયા કેવી રીતે કરવી તે કહે છે.
બાહ્ય પ્રાણાયામ.
પ્રથમ ઈંડા નડી ( = જમણી નાસિકા ) થી ધીરે ધીર પ્રાણ વાયુ ઉદરમાં અગર હૃદયમાં ભરવા તેને કુંભક પ્રાણાયામ કહે છે. એ પ્રાણવાયુને અંદર બે મિનિટ રોકવા તેને પુરક પ્રાણાયામ કહે છે. પછી તે રશકેલા પ્રાણવાયુને ધીરે ધીરે પિંગલા ( = ડાખી નાસિકા ) થી બહાર કાઢવા તેને રેચક પ્રાણાયામ કહે છે. આ પ્રમાણે સાધન થાય ત્યારે સમજવું કે હું પ્રાણાયામની ક્રિયા સાધી શકીશ. પ્રાણાયામ સાધનારને આ પ્રમાણે સવાર, ખપાર અને સાંજ ત્રણે કાળ ૮૦-૮૦ વખત સાધન કરવું જોઈએ. બે મહિના લગી એવી રીતે સાધન કરવાથી સુષુમ્ચાનું ઉત્થાન થયું કહેવાય છે. સુષુમ્હાનું ઉત્થાન થવાથી આત્મ ધ્યાન કરવાની ચેાગ્યતા મળે છે, મનની સ્થિરતા થાય છે અને શરીરની અંદરના પ્રાણવાયુ બહુજ શુદ્ધ થાય છે.