________________
૭૧
કાર નવકારનું સ્મરણ કરે, જેથી ઈષ્ટદેવ પ્રસન્ન થાય અને ઈચ્છિત કાર્ય સિદ્ધિ થાય. (૫) “પ્રણિધાન –પ્રભુને સર્વે ભાવ સમર્પણ કરે, બનવાનું છે તે કઈને કઈ રીતે બનશે એમ જાણ, શુભ અશુભ કામ, દુઃખ સુખ વગેરેથી મનમાં ગભરામણ, અકળામણ ન કરે જેથી સમાધિ ભાવની પ્રાપ્તિ થાય છે. આ પાંચ નિયમને ધારણ કરે.
તૃતીય પત્ર–“આસન". समं कायशिरोग्रीवं, धारयन्नचलं स्थिरः। संप्रेक्ष्य नासिकाग्रं स्वं, दिशश्चानवलोकयन् ॥१॥ प्रशांतात्मा विगतभी, ब्रह्मचारि व्रतेस्थितः ।। मनः संयम्य मच्चित्तो, युक्त आसीत मत्परः ॥ २॥ युञ्जन्नेवं सदात्मानं, योगी नियतमानसः। शान्ति निर्वाणपरमां, मत्संस्थामधिगच्छति ॥३॥
(તાની) અ. ૬, શ્લોક ૧૩, ૧૪, ૧૫ અથ–શ્રીકૃષ્ણ કહે છે કે–અહે ધર્મરાજ ! શરીર માથું અને ડેકને સ્થિર કરી, આમતેમ ન જોતાં, ફક્ત નાકના અગ્રભાગ પર નજરને દ્રઢ કરી, અંતઃકરણને અત્યંત નિર્મળ કરી, ભય રહિત અને બ્રહ્મચર્ય સહિત મનને સંયમ કરી જેઓ મારી તરફ લગાવે છે, અને મને જ સર્વસ્વ ગણે છે એવા જેગીએજ મારી મદદથી નિર્વાણ અને પરમ શાંતિના સ્થાનને પહોંચે છે. આસનને વિશેષ ખુલાસે પાછળ શુભ દ્રવ્યમાં કર્યો છે તે જાણી લે. જે આસનથી શરીર અને મનની સ્થિરતા રહે તે આસન શ્રેષ્ઠ છે.
ઉપર કહેલ યમ અને નિયમથી બાહ્ય અત્યંતર આત્માને પવિત્ર કરી, આસન લગાવી, દ્રઢ બની, પછી ધ્યાનની સિદ્ધિને માટે પ્રાણાયામ વગેરે ક્રિયા કરવાની છે તે જણાવે છે.