________________
દ્વિતીય પત્ર—“નિયમ". शौचसंतोषतपस्वाध्यायेश्वरप्रणिधानानि नियमाः
અર્થાત--નિયમના પાંચ ભેદ છે--(૧) “શી”- સાત દુર્વ્યસન, ઠગાઈ, ઈર્ષા, મદાલ્પતા, વિષમાં રમણતા, જોઈએ તે કરતાં વધારે સંગ્રહ, મિથ્યા આચરણ, બીજાને ગભરાવવાં અને અનાચાર એ બધાંને ત્યાગ કરે અને શરીરથી અશુચિ દૂર રાખે, જેથી સંસર્ગને સૂગ ન ચડે. હવે અત્યંતર શુચિ તે કામક્રોધાદિથી અલગ રહે કે જેથી મન નિર્મળ રહે. (૨) “સંતોષ – ભૂખની શાંતિ કરે તેટલું જ અન્ન, ગુપ્ત અવયવ ઢાંકે અને શીતાદિથી બચાવે તેટલાંજ વસ્ત્ર, જરૂર હોય તેટલાં મકાન અને શય્યા એ બધાં ઉદાસભાવ-અનિત્યભાવથી ગ્રહણ કરે, વિશેષ ઈચ્છા ન કરે જેથી નિર્દોષ બની સુખી થાય. (૩) “તપ”—ટાઢ, તાપ, ભૂખ, તરસ, મારે ફૂટે, વાકય પ્રહાર વગેરે કષ્ટ, સમભાવથી સહન કરે, ધર્મ અને વૃદ્ધની સેવા અને સદૂગુણનું આચરણ કરે, જેથી સિદ્ધિ સિદ્ધિ મળે. (૪) “સ્વાધ્યાય –શાસ્ત્રનું પઠન, પાઠન, મનન કરે, श्लोक-सत्यशौचं तपशौचं, शौचमिन्द्रियनिग्रहः। . सर्वभूतदयाशौचं, जलशौचं तु पंचमम् ॥ १॥ .
ચાણક્ય નીતિ... અથ–સત્ય બલવાથી, તપ કરવાથી, ઇન્દ્રિયોને નિગ્રહ કરવાથી, છની રક્ષા કરવાથી અને પાણીથી એમ પાંચ પ્રકારે શુચિ થાય છે. श्लोक-अशुचि करुणाहीनं, अंशुचि नित्य मैथुनं । अशुचि परद्रव्येष्व, शुचि परनिंदा भवेत् ॥ १॥
ચાણક્ય નીતિ. અથ–દયા રહિત, નિત્ય મૈથુન સેવનાર, ચોરી કરનાર અને નિંદા ખેર એ ચાર સદા અશુદ્ધજ રહે છે.