SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૫ : અચલગઢનાં જૈન મંદિર નાયકજીની બંને બાજુની ધાતુની અને મૂર્તિઓ ઉપર વિ. સં. ૧૫૬૬ના લેખો છે. આ પ્રમાણે નીચેના મૂળ ગભારામાં મૂળનાયકજીની ધાતુની મોટી મૂર્તિઓ ૪, ધાતુના મેટા કાઉસગ્ગીયા ૨, ધાતુની મેટી એકલ મૂર્તિઓ ૩, આરસની મૂર્તિ ૧ અને આરસના મોટા કાઉસગ્ગીયા ૨ છે. મૂલ ગભારાની બહાર ગૂઢમંડપના બને બાજુના દેરી જેવા અને ગોખલામાં થઈને ભગવાનની આરસની મૂર્તિઓ ૩ છે. સભામંડપની અંદર બન્ને બાજુએ એક એક ગભારો છે, તેમાંના જમણી બાજુના ગભારાની અંદર મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન, તેમની જમણી બાજુએ શ્રી શાંતિનાથ ભગવાન અને ડાબી બાજુએ શ્રીનમિનાથ ભગવાનની મૂર્તિઓ છે. આ ત્રણે મૂર્તિઓ વિ. સં. ૧૯૯૮માં સિદેહીના રહેવાસી પિરવાડ શાહ વણવીરના પુત્રો શાહ રાઉત, લખમણ અને કર્મચંદે કરાવેલ છે. આવી મતલબના આ ત્રણે મૂર્તિઓ ઉપર લેખે છે. આ ગભારામાં કુલ મૂર્તિઓ ૩ છે. ડાબી બાજુના ગભારામાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની ધાતુની બહુ સુંદર મૂર્તિ છે. આ મૂર્તિ વિ. સં. ૧૫૧૮માં પ્રાગ્વાટ (પિરવાડ) જ્ઞાતીય દેસી ડુંગરના પુત્ર ૨૧. ચૌમુખજીના મંદિરની બધી મૂર્તિઓ, કાઉસગ્ગીયા અને પાદુકા પદ પરના લેખે માટે “અબુંદ પ્રાચીન જૈન લેખ સંદેહના નંબર ૪૬૪થી ૪૮૪ સુધીના લેખો તથા તેનું અવલકને જુઓ.
SR No.006289
Book TitleAchalgadh Sachitra Aetihasik Varnan
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1948
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy