SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૪ : અચલગઢ મંદિર અને ત્યાંથી પણ ૨૩ પગથિયાં ઊંચે ચઢવાથી શિખરની ટેચ ઉપર શ્રી ચૌમુખજીનું મોટું મંદિર આવે છે. આ સ્થાનને અહીંના લેકે “નવંતા જોધ” નામથી ઓળખાવે છે. મેટી જેન ધર્મશાળાના દરવાજાની બહારથી ઊંચે ચઢવાને રસ્તે છે, તેની પાસે કારખાનાની એક જૂની વાવડી છે. વાવડીથી જરા ઊંચે ચઢતાં ગીરાજ શ્રી વિજયશાંતિસૂરિજી મહારાજની ગુફા અને આશ્રમ આવે છે. શાંતિ– આશ્રમના ફાટક પાસેની ડાબી તરફની દીવાલના ગેખલામાં ભરવજીની મૂર્તિ છે, અને તે સ્થાન “ભૈરવપળ” નામથી ઓળખાય છે. દરવાજે પડી ગયા છે. તે કુંભારાણાના વખતની છઠ્ઠી પિળ (છઠ્ઠો દરવાજે) કહેવાય છે. ત્યાંથી થોડું ઉપર ચઢતાં શ્રાવણ-ભાદરે નામના બે કુંડે આવે છે. તેની એક બાજુના કિનારાના ઉપરના ભાગમાં કિનારાથી થોડે દૂર ચામુંડા દેવીનું એક નાનું મંદિર છે. ત્યાંથી થોડું ઊંચે ચઢતાં પર્વતના શિખર ઉપર અચલગઢ નામને એક જૂને અને તૂટેલો કિલ્લો આવે છે. ત્યાંથી એક બાજુમાં જરા નીચે ઊતરતાં પહાડને કોતરીને બનાવેલી બે માળની એક ગુફા આવે છે, તેને લેકે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની અથવા ગોપીચંદજીની ગુફા કહે છે. આ ગુફાથી જરા ઉપર એક જૂનું મકાન છે. તેને લેકે કુંભારાણાને મહેલ કહે છે. અહીંથી સીધે રસ્તે નીચે ઊતરી અચલગઢ ગામમાં આવી શકાય છે. ઉપર પ્રમાણે અચલગઢમાં જૈન મંદિરે ૪, જેન ૧૨. કહેવાય છે (અને એ સાચું પણ લાગે છે) કે-આ ભૈરવ પિળથી ઉપરના ભાગમાં રાજપૂત અને ભૈરવ પોળથી નીચેના ભાગમાં વાણિયા વગેરે રહેતા હતા. કિ ચ ઉપર અચલ ત્યાંથી થે નીચે થી
SR No.006289
Book TitleAchalgadh Sachitra Aetihasik Varnan
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1948
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy