________________
જિનસ્તુતયઃ]
स्तुतिचतुर्विंशतिका અતિ-નય અને અર્પિત – એમ પણ નાના બે વિભાગે સંભવે છે. આમાંના “અર્થ-નયના નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને રાજુસૂત્ર એમ ચાર ભેદ પડે છે, જ્યારે “શાબ્દ-નયના શબ્દ, સમભિરૂઢ અને એવભૂત એમ ત્રણ પ્રકારે પડે છે. આથી એક રીતે નયની સંખ્યા સાતની બને છે. આ સાત નામાંના પ્રથમના નૈગમાદિ ત્રણ ન “વ્યાર્થિક નય” કહેવાય છે, જ્યારે બાકીના શબ્દાદિ ચાર ન પયયાર્થિક નય’ કહેવાય છે. આ નૈગમાદિ સાત નો એક એકથી વધારે વિશુદ્ધ છે, અર્થાત્ નૈગમ નય કરતાં સંગ્રહ નય વિશુદ્ધ છે અને તેના કરતાં વ્યવહાર નય; એ પ્રમાણે સમજી લેવું. પરંતુ એટલું ધ્યાનમાં રાખવું કે જેટલું નૈગમ નયનું ક્ષેત્ર વિશાળ છે, તેટલું સંગ્રહ નયનું નથી અને એનાથી પણ અલ્પ વિસ્તારવાળું વ્યવહાર નયનું ક્ષેત્ર છે. આ પ્રમાણે એવંભૂત નયનું ક્ષેત્ર તે સૌથી વધારે સંકુચિત છે.
વિશેષમાં એક નયના આધારે બોલેલું વાક્ય કે દર્શાવેલે અભિપ્રાય સંપૂર્ણ સત્ય નથી, કિન્તુ સમસ્ત નાને આશ્રીને બોલાતું વાકય પૂર્ણ સત્ય છે. વળી નય એ પ્રમાણરૂપ નથી તેમજ અપ્રમાણરૂપ નથી, કિન્તુ પ્રમાણુશ છે.
હવે આ નૈગમાદિ સાત નનું ટુક સ્વરૂપ જોઈ લઈએ, કેમકે બાકી તે આ સાત નના સાતસે (૭૦૦) ભેદ પડે છે. તેના જિજ્ઞાસુએ તે નય-ચક વિગેરે ગ્રન્થ જોવા. નૈગમ–
" गम्यतेऽनेनेति गमः पन्थाः, नैके गमा यस्यासौ नैकगमः, निरुक्तविधिना च ककारलोपाद् नैगमः"
અર્થી—ગમ એટલે “માર્ગ જેને એક જાતનો માર્ગ નથી, એટલે કે જે પદાર્થને અનેકશ બેધ કરાવે છે, તે “નૈગમ' કહેવાય છે. બીજી રીતે વિચારીએ તે “નિગમ” એટલે સંકલ્પ”, “કલ્પના; આ કલ્પના પૂર્વક થતે વ્યવહાર નૈગમ' કહેવાય છે. આ નય વસ્તુગત સામાન્ય
૧-૨ “વિશેષ-ગ્રાહિ નય” કહે કે “અર્પિત–નય’ કહો તે એકજ છે. તેવી રીતે “સામાન્ય-ગ્રાહિ નય અને અનપિત–નય” એ પણ એકજ છે. - ૩ આ સાત નોમાંના કયા નયને આશ્રય કર્યું દર્શન લે છે, તે વાત આગળ ઉપર અગ્યારમા પ્લેકને સ્પષ્ટીકરણમાં વિચારીશું.
૪ અહિં કોઈ એવી શંકા ઉઠાવે કે એક નય-વિષયક કથન તે મિથ્યા છે, તે સાતે નયે આશ્રીને કરેલા કથનમાં સત્યતા કયાંથી સંભવે? શું જયારે રેતીના એક કણમાં તેલ નથી, તે રેતીના સમુદાયમાંથી તેલ મળી શકે ખરું કે આના સમાધાનમાં સમજવું કે એક મેતીમાં મોતીનું માળાપણું રહેલું નથી, પરંતુ તેના સમુદાયમાં તે તે છેજ તેને કેમ ? વિશેષમાં જ કે ન કથંચિત એક એકથી વિરૂદ્ધ છે, છતાં પણ તેઓ સ્યાદ્વાદરૂપી ચક્રવર્તીની આજ્ઞા લેપી શકતા નથી. અર્થાત જેમ પરસ્પર વિરોધી નૃપતિઓને પણ તેમના સમ્રાટની સેવા સાથે રહીને બજાવવી પડે છે, તેમ એક એકના વિરોધી નયને પણ સ્યાદ્વાદની સેવામાં હાજર થવું પડે છે. વળી એક નય અન્ય નયનું ખંડન કરતું નથી, પરંતુ પોતાનું ગૌરવ જાળવી રાખવા બનતે પ્રયત્ન કરે છે.
૫ જેમ સમુદ્રના જલનું એક બિન્દુ સમુદ્ર પણ નથી તેમજ અસમુદ્ર પણ નથી પરંતુ સમુદ્રાંશ છે, તેમ અત્રે પણ સમજવું. જુઓ નયામૃતતરગિણી