________________
જિનસ્તુત ] स्तुतिचतुर्विशतिका
૨૮૫ સર્વદા વિષયથી અનાસત (નંદિવર્ધનના લધુ બાંધવ)! હે રૂદનરહિત (દેવાધિદેવ)! હે વનિતાથી વિમુખ (વિશ્વેશ્વર) ! હે આર્ય (જ)ના રક્ષક ! હે કલ્યાણકારી (જિનેશ્વર ) ! હે વીર (પરમાત્મા)! હે ઉત્તમ (અરિહંત) ! (વૈમાનિક દેવ હેવાને લીધે) ઉત્તમ એવા [ અથવા ઉત્તમ ( હોવા છતાં પણ વીર પ્રભુને ઉપસર્ગ કરનારા હેવાથી) અંધકારરૂપ એવા ] સંગમની ઉદાર છે નેત્રની કીકીઓ, વનિ તેમજ કામદેવ જેનાં એવી અબલાની આવલિના આલાપ, અંગ અને (કટાક્ષપૂર્વકનાં) અવકન વડે મેહિત બની ગઈ નથી ઈન્દ્રિય જેની એવા, અને વળી સૃષ્ટિના શૃંગારરૂપ અને વિલાસના વાસરૂપ એવા સિદ્ધાર્થ નૃપતિના મહેલમાં અવતર્યા છે જેઓ એવા તેમજ નાશ કર્યો છે (અન્ય પ્રાણીઓ)ને રેગોને જેમણે એવા તથા વળી ભથી રહિત એવા આપ મને મેક્ષનાં સુખે અર્પો”—૮૩
સ્પષ્ટીકરણ વીર પ્રભુનું ચરિત્ર - આ ચોવીસમા યાને આ અવસર્પિણીમાં થયેલા અન્તિમ તીર્થંકર વીર પ્રભુને જન્મ સિદ્ધાર્થ પતિના ક્ષત્રિયકુંડ નગરમાં થયેલ હતું. એમના પિતાનું નામ સિદ્ધાર્થ હતું અને એમની માતાનું નામ ત્રિશલા હતું. આ અવસર્પિણમાં થઈ ગયેલા મુનિસુવ્રત સ્વામી અને અરિષ્ટનેમિ સિવાયના અન્ય તીર્થકરેની જેમ તેઓ કાશ્યપ ગોત્રના (જ્ઞાત વંશના) હતા. તેમને સુવર્ણવર્ણ દેહ સિંહના લાંછનથી વિશેષ શેતે હતે. એમની ઊંચાઈ સાત હાથ જેટલી હતી. બહેતર (૭૨) વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં તેઓ દિવાળીની પાછલી રાત્રિએ પરમ પદને પામ્યા.
હાલમાં આજ જિનેશ્વરનું શાસન પ્રવર્તે છે અને જે જૈન ધર્મ અત્યારે પ્રવર્તે છે, તે તેમનોજ પ્રભાવ છે. વિશેષમાં અત્યારના સમસ્ત સાધુઓ તેમના ગૌતમાદિ અગ્યાર ગણધરેમાંના સુધમાં સ્વામીની ઓલાદના છે. વીર શબ્દના સંબંધી વિચાર–
“વીર' શબ્દ માટે નિરૂક્ત કરતાં અનુગદ્વાર-વૃત્તિ, ગશાસ્ત્ર અને ધર્મ-સંગ્રહમાં પણ કહ્યું છે કે–
"विदारयति यत्कर्म, तपसा च विराजते।
तपोवीर्येण युक्तश्च, तस्माद् वीर इति स्मृतः ॥" અર્થાત જે કર્મનું વિદારણ કરે છે તથા તપશ્ચર્યાથી વિરાજમાન છે તેમજ તપ-શક્તિથી યુક્ત છે, તે “વીર' કહેવાય છે.
૧ આ વાતને ઉશને શ્રીજિનપ્રભસૂરિએ ૧૮ શ્લોક-કમાણક શ્રીવર-નિર્વાણ કલ્યાણક-સ્તવ એ નામનું એક મનોરંજક કાવ્ય રચ્યું છે.