SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય-સમીક્ષા આ ઉપરથી જોઈ શકાય છે કે આ કાવ્યના ચેથા, આઠમા, બારમા ઈત્યાદિ પદ્યમાં શ્રુત-દેવતાની તેમજ ૧૪ વિદ્યા-દેવીઓની, અમ્બિકા દેવીની, શાંતિ દેવીની તેમજ કપર્દી અને બ્રહ્મશાન્તિ યક્ષની સ્તુતિ નજરે પડે છે, જયારે એના પહેલા, પાંચમા, નવમા ઇત્યાદિ પદ્યમાં પ્રથમ તીર્થંકરથી માંડીને તે અંતિમ જિનેશ્વરની સ્તુતિ અને બીજા, છઠા, દશમા ઈત્યાદિ પદ્યમાં સમસ્ત જિનેશ્વરની અને ત્રીજા, સાતમા, અગ્યારમા ઈત્યાદિ પોમાં આગમની સ્તુતિ જોવામાં આવે છે. પદ્ય-પ્રરૂપણું– કવીશ્વરે આ સ્તુતિ-ચતુર્વિશતિકા વિવિધ જાતના છંદમાં રચી છે. આથી તેમનું છંદ-શાસ્ત્રનું પાણ્ડિત્ય પ્રકટ થાય છે. આ કાવ્યમાં “વૃત્ત' અને જાતિ” એમ બન્ને પ્રકારનાં પડ્યો દૃષ્ટિગોચર થાય છે, જે કે આમાંનાં ઘણાં ખરાં પશે તે વૃત્તમાં રચાયેલાં છે. આઠ અક્ષરવાળા એ કેક ચરણથી યુકત અનુટુપ જેવા નાના વૃત્તથી માંડીને તે છેક ૩૩ અક્ષરવાળા પ્રત્યેક ચરણથી અલંકૃત અર્ણવ-દડક” જેવા મોટા વૃત્ત પણ આ કાવ્યમાં નજરે પડે છે, એ આ કાવ્યની ખૂબી છે. એકંદર રીતે આ કાવ્યમાં ૧૮ જાતનાં છેદે છે. (૧) અતુટ્ટ, (૨) અર્ણવ-દણ્ડક, (૩) ઈન્દ્રવજા, () ઉપજાતિ, (૫) દ્રતવિલંબિત, (૬) નર્કટક, (૭) પુષિતાચા, (૮) પૃથ્વી, (૯) મન્દાક્રાન્તા, (૧૦) માલિની, (૧૧) રૂચિરા, (૧૨) વસંતતિલકા, (૧૩) શાર્દૂલવિક્રીડિત, (૧૪) શિખરિણી, (૧૫) સ્ત્રગ્ધરા અને (૧૬) હરિણી એ સોળને વૃત્ત' તરીકે અને આગીતિ અને દ્વિપદી એ બે છંદેને “જાતિ' તરીકે ઓળખી શકાય છે. આ કાવ્યના વિવિધ છંદ સંબંધી માહિતી. છન્દનું નામ પઘાંક ૧ અનુણ્યમ્ પ૭-૬૦ (૪) ૨ અર્ણવ-દડક ૯૩-૯૬ (૪) ૩ આય–ગીતિ ૯–૧૨, ૧૭–૨૦ (૮) ૪ ઇન્દ્રવજા ૩૪, ૩૬ (૨) ૫ ઉપજાતિ ૩૩,૩૫ (૨) ૬ કૂતવિલંબિત ૧૩-૧૬,૩૭–૪૦, ૫૩–૫૬ (૧૨) ૭ દ્વિપદી ૬૯-૭૨ (૪) ૭૭-૮૦ (૪) ૧ આ ઉપરથી અમુક છંદમાં રચાયેલાં પોની સંખ્યા જોઈ શકાય છે. ૨ આને “સ્કન્ધકના નામથી પણ ઓળખવામાં આવે છે. જુઓ શ્રી સિદ્ધચન્દ્રકૃત ટીકા.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy