________________
જિનસ્તુતઃ ]
स्तुतिचतुर्विंशतिका
પ્લેકાર્થ જૈન શાસનને વિચાર–
“હે ગેલેક્યના બાન્ધવ! હે આલાપક તેમજ નયના સંબંધથી વિસ્તીર્ણ [ અથવા હે. આલાપક ! હે (નૈગમાદિ ) નયેના સંબંધથી વિશાળ ! અથવા હે ગમ, નીતિ અને યેગથી વિસ્તૃત ] ! હે વિશાળ એવા શિવ-માર્ગે (સુખપૂર્વક) જવામાં અશ્વ (સમાન) ! હે જૈન સિદ્ધાન્ત ! તું દેહ-મુક્ત (અર્થાત્ જયાં શરીર નથી એવા) અતિમ પદમાં (અર્થાત
કાન્તમાં આવેલી શિવ-પુરીમાં) મારી ગ્લાનિ નષ્ટ થાય તેવી રીતે મને ત્યાં નિવાસ કરવા દે.”—૭
સ્પષ્ટીકરણ રોલેક્યનું દિગ-દર્શન
જૈન શાસ્ત્રમાં આકાશના લેકાકાશ” અને “અલકાકાશ એમ બે વિભાગો પાડવામાં આવ્યા છે. જે આકાશમાં જીવાદિક છએ પદાર્થો વિદ્યમાન છે, તે કાકાશ કહેવાય છે અને
જ્યાં ફક્ત આકાશજ છે, બીજો કઈ પણ પદાર્થનથી, તે અલકાકાશકહેવાય છે. આ લેકાકાશરૂપી વિભાગને લેક એવી સંજ્ઞા આપવામાં આવી છે અને મેરૂ પર્વતના મધ્ય ભાગમાંના આઠ પ્રદેશો આશ્રીને તેને ત્રણ વિભાગે કલ્પવામાં આવ્યા છે. આ વિભાગને અલેક, મધ્યમ (તિર્ય)લેક અને ઊર્વલકના નામથી ઓળખવામાં આવે છે. આ વિષયના જિજ્ઞાસુએ ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્રમાંને અજિતનાથ-દેશના અધિકાર, પ્રજ્ઞાપનાવૃત્તિ તથા અનુગદ્વાર જેવા. ગમ યાને આલાપક પર વિચાર
એકના એક આગમમાં પણ ફરી ફરીને જે એકને એક પાઠ આવે છે તેને “આલાપક (આલા) કહેવામાં આવે છે. આ આલાપકે શબ્દ-રચનાની અપેક્ષાએ તે સમાન છે. આથી કરીને કેટલાકને તે નિરર્થક લાગે છે. પરંતુ આ આલાપકને અર્થ કદાચ જુદો જુદો થતો હોય, તે તેમાં આશ્ચર્ય જેવું નથી. કેમકે આ કાવ્યમાંજ એકજ જાતની શબ્દરચનાવાળાં બે ચરણેના જૂદા જૂદા અર્થે થાય છે તે શું બતાવે છે? અરે એકજ ક્ષેકના સે સે અર્થો થાય એવા કે પણ મોજુદ છે (જેમકે સેમપ્રભાચાર્યકુત શતક, વિગેરે). આથી પણ એક આશ્ચર્યાત્મક ઘટના જેવી હોય તે “રાનાને તે સુ” એ વાક્યના ઉપાધ્યાયશ્રી સમયસુંદરજીએ કરેલ આઠ લાખ અર્થો તરફ દષ્ટિપાત કરે. (આ ગ્રન્થ અષ્ટલક્ષીના નામથી ઓળખાય છે અને તે સ. ૧૭૪૫ માં લાહેરમાં રચવામાં આવ્યું હતું, આ ગ્રન્થ અત્યારે પણ મોજૂદ છે.) વિશેષમાં ge અત્તર મiતો થો” એવું પ્રમાણભૂત વાક્ય છે, તે પછી આ આલાપકે નિરર્થક છે એમ માનવા જનારને દીર્ધ દષ્ટિ દેડાવવાની જરૂર છે એમ કહેવું વધારે પડતું ગણાય ખરું કે?