________________
3
ST ATEST શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
કેવલી ભગવંતનું આગમન થયેલું જાણી વનપાલકે કુસુમપુરના રાજવી હરિચંદ્રને વધામણી આપી અને વનપાલકની વધામણીના વચન સુણી હરિચંદ્ર રાજા હર્ષિત થયો થકો જ વિચારે છે. એક તો ઉપકારી પિતા અને વળી કેવલી એવા ઉત્તમ મુનિના આગમનથી ન હરિચંદ્ર રાજા અતિશય આનંદને પામ્યો. (૨૧)
એ પ્રમાણે કેવલજ્ઞાની વિજયચંદ્ર રાજર્ષિનું કુસુમપુરમાં આગમન. વનપાલકની હરિચંદ્ર | રાજાને વધામણી આપવી વિગેરે વર્ણનવાળી ઢાળ ત્રીજી ઉદયરત્નવિજયજી મહારાજે ભવજલ તરવા માટે કહી હે ભવ્યો તમે સાંભળો ! (૨૨)