________________
. શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
3 આ દેવની પ્રતિમા ઉપરથી પણ તમે પરીક્ષા કરી શકશો કે આ દેવ રાગી છે કે દ્વેષી છે કે
આ વિતરાગી છે ? જો રાગી દેવ-દેવી હશે તો તેની પાસે તેની પત્નિ બેઠેલી હશે ? જેમ કે ( શંકરની બાજુમાં પાર્વતી. કૃષ્ણની બાજુમાં રાધા-ગૌરી અને દ્વેષી દેવ હશે તો તેના હાથમાં મેં
ત્રિશૂલ હશે ! તલવાર હશે ! ભાલો હશે? લોહી ઝરતાં માણસોના ડોકા પણ પકડેલા હોય દિન છે. કોઈ દેવ-દેવીની આગળ હાડકાંનો ઢગલો પડેલો હોય છે. એ દ્વારા સમજી શકાય છે કે, આ આ દેવી દેવ છે. આજકાલ લોકો જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કાર કરતા હોય છે. પરંતુ કિસ અરિહંત પરમાત્માનો ચમત્કાર ક્યાં ઓછો છે. રાગ-દ્વેષી દેવ બહુ તો તમારો સંસાર , લીલોછમ કરી આપશે? યા કોઈ નડતર રૂપ થતું હશે તો તે દૂર કરી આપશે? પુત્ર, પત્નિ, તિ પેઢી, પરિવારથી સુખી કરશે. પણ તે સુખ ક્યાં સુધી ટકવાનું? જ્યારે અરિહંત પરમાત્માનો છે | ચમત્કાર તેમનો અતિશય છે. સવાસો યોજનમાં પ્રભુ વિચરે ત્યાં ક્યાંય મારી, મરકી, રોગ, શિ શોક, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ થતી નથી. આ જેવો તેવો ચમત્કાર છે ? પરમાત્મા બોલે છે એક ભાષા, પણ પશુ, પક્ષી, દેવ, દેવી નર-નારી આદિ સર્વે પોત પોતાની ભાષામાં સમજી લે છે. આ વાણીનો ચમત્કાર ભૂખ્યાની ભૂખ ભાંગે, તરસ્યાની તૃષા છીપે અને અંતે ક્યારે
પણ નાશ ન થાય તેવું અવિનાશીપણું પ્રાપ્ત કરાવે છે. માટે જ અરિહંત સમાન કોઈ દેવ છે ની જગતમાં મળી શકે તેમ નથી.
- શ્રી વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજાની આગળ અષ્ટપ્રકારી પૂજાના રહસ્યને સમજાવતા રિસ કહે છે કે હે રાજન ! પ્રેમપૂર્વક સાંભળ. જે મનુષ્ય ભક્તિપૂર્વક પરમાત્મા સન્મુખ પાણીનો છે આ કળશ (કુંભ) ધરાવે છે યા ને જલવડે પરમાત્માનું પક્ષાલન કરે છે તે મનુષ્ય આશ્ચર્યકારક | એવા શ્રેષ્ઠ મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. જેમ પાણીથી પક્ષાલપૂજા કરવા દ્વારા બ્રાહ્મણની પુત્રી આ શાશ્વત સુખની ભોક્તા બની તેમ જલપૂજા દ્વારા જીવ શિવસુખનો ભોક્તા બને છે. હવે તે બ્રાહ્મણ સુતાનું દ્રષ્ટાંત કહું છું તે સ્નેહપૂર્વક સાંભળો - (૬, ૭).
(ત્રિભુવન નાયક તું વડો રે લાલ - એ દેશી) દક્ષિણ ભારતે દીપતો હો લાલ, બ્રહ્મપુર ઈણે નામ મનરંગ; વિપ્રના સહસ્ત્ર વાસા તિહાં રે લાલ, સુરપુરી સમ અભિરામ મનરંગે. સુણ રાજન્ કહે કેવલી હો લાલ, જલપૂજા અધિકાર; મન, કથા કહ્યું હું તેહની હો લાલ, સદહેજે સુવિચાર. મન સુણ૦ ૨ પારગામી જે વેદનો હો લાલ, ચૌદ વિધાગુણ ધામ; મન વારુ વાવ એક તિહાં હો લાલ, વસે સોમિલ નામ. મન સુણ૦ ૩