________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ઢાળ ત્રીજી
|| દોહા ||
યથાશક્તિ વ્રત ઉચ્ચરે નરનારી ચિત્ત લાય; લાહો લેઈ ધર્મનો સહુ નિજ મંદિર જાય. ૧ રત્નપુરી અને કુસુમપુર વિજયચંદ્ર ભૂપાલ; કુરુચંદ્ર હરિચંદ્રને વહેંચી દિયા તિણે કાળ. ૨ ધણ કણ કંચન, ઘણીધરા રાજૠદ્ધિ પરિવાર; મનથી માયા મૂકીને, વોસિરાવે તિણેવાર. ૩ સકલ સામગ્રી સજી લેવા વ્રત ઉલ્લાસ; વિજયચંદ્ર વસુધાપતિ પહોંચ્યો કેવલી પાસ. ૪ પ્રથમ પાય પ્રણમી પછી, માંગે મહાવ્રત ભાર; મુનિવર મન નિશ્ચલ લહી ક્ષણ ન લગાડી વાર. ૫ પંચ મહાવ્રત પ્રેમશું ઉચ્ચરાવે અણગાર; વંદીને મંદિર વળ્યો પુત્રાદિક પરિવાર. ૬ વિહાર ક્રમ કીધો વળી તિહાં થયી તેણી વાર; રાજૠષિ રૂડી પરે શીખે સૂત્ર વિચાર.
ભાવાર્થ : શ્રી વિજયચંદ્ર રાજા મુનિના વચન સુણી વૈરાગી બન્યા છે. નરનારી સહુ યથાશક્તિ વ્રતને ઉચ્ચરે છે અને ધર્મકાર્યનો લાભ લઈ પોત પોતાને મંદિરે જાય છે. (૧)
"
ત્યારબાદ વિજયચંદ્ર રાજા પોતાની નગરી રત્નપુરી અને કુસુમપુર તે બંનેનું રાજ્ય બંને કુમારો કુરુચંદ્ર અને હરિચંદ્રને તે સમયે વહેંચી આપે છે. અર્થાત્ રત્નપુરીનું કુરુચંદ્રને અને કુસુમપુરનું હરિચંદ્રને આપે છે. (૨)
વળી ધન - કણ - કંચન ઘણી પૃથ્વી રાજઋદ્ધિ આદિ પરિવારની મનથી મમતા છોડી મન-વચ-કાયાથી તે બધું જ વોસિરાવે છે. (૩)
વળી વિજયચંદ્ર પૃથ્વીપતિ સકલ સામગ્રી લઈ મોટા આડંબર સાથે વ્રત લેવા માટે ઉલ્લસિત મન યુક્ત બનીને શ્રી ગુણાકર નામના કેવલી પાસે આડંબરપૂર્વક આવી પહોંચ્યો. (૪)
ZAZYZNZY
૧૫