________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ બેતાલીસમી
|| દોહા ||
શિખ માગી સસરા કને, કુમર તે મનને કોડ; સાથે લઈ નિજ કામીની, ચાલ્યો સુરપુર છોડ. ૧ માત-પિતા પરિવાર શું, રાજસુતા મલી રંગ; આંખે આંસુ ઢાળતી, ચાલી પ્રીયને સંગ. ૨ વોળાવીને સહુ વળ્યું, ધાવ નીસાણે દેય; ઉપવનથી આઘો ચલ્યો, જયકુમાર દલ લેય. ૩ ઈમ અવિચ્છિન્ન પ્રયાણશું, નિજપુર જાતાં તામ; આવ્યો એક ઉદ્યાન તિહાં, સુંદર શોભિત ઠામ. ૪ ભાવાર્થ : હવે જયકુમાર પોતાની નગરીએ જવા માટે મનના કોડ સાથે પોતાનાં સસરાં સૂરવિક્રમ રાજા પાસે શિખ માંગે છે અને પોતાની કામિનીને સાથે લઈ સુરપુર નગર છોડીને પદ્મપુર તરફ પ્રયાણ આરંભે છે. (૧)
તે સમયે માતા-પિતા પરિવાર અને રાજકુમારી વિનયશ્રી આદિ રંગભર મળે છે અને અંતે આંખે આંસુ ઢાળતી રાજપુત્રી વિનયશ્રી પોતાનાં પિયુ સંગે ચાલી. (૨)
રાજકુમા૨ી અને જમાઈરાજને વોળાવી સહુ પાછા વળ્યાં ત્યારે નિશાનડંકો વગડાવી વાજિંત્રોના નાદ સાથે જયકુમાર પોતાનાં સૈન્યદલ સાથે ચાલવા લાગ્યો અને થોડીવા૨માં તે ઉદ્યાનથી દૂર નીકળી ગયો. (૩)
એ પ્રમાણેના અવિચ્છિન્ન પ્રયાણે પોતાની નગરી તરફ જઈ રહ્યો છે ત્યાં જતાં માર્ગમાં એક સુંદર સુશોભિત ઉદ્યાન આવ્યું ત્યાં જયકુમાર પણ આવ્યો. (૪)
(રાગ : સારંગ દેશી બિંદલીની)
તે ઉધાને આવ્યા જેહવે, તિહાં ઋષિ દીઠો એક તેહવે હો મુનિવર વૈરાગી સુરસેવિત ગુણરયણ કરંડ, જે તારણ તરણ તરંડ હો. મુનિવૈરાગી. ૧ ધારે શ્વેતાંબર વાસુ, નિર્મળ ચારિત્રનો ધારુ હોમ્ નિર્મળ ઓપે દંતની ઓળી, જાણે ઉભી હીરા ટોળી હોન્મુ॰ ૨
૨૩૩