________________
SURAT
| શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ ઓગણચાલીસમી
| | દોહા ! હવે લીલાવતી અન્યદા, ઉલટ અંગ ધરેય; પિચર પહોતી પ્રેમભર, પતિની અનુમતિ લેય. ૧ માત-પિતા નિજ બંધુને, જઈ મળી મનરંગ; લીલાવતીને ભેટીને, ઉલસ્યાં સહુનાં અંગ. ૨ ત્રણકાલ પૂજે તિહાં, જિન પ્રતિમા અભિરામ;
એકદિન દેખી પૂજતી, બંધવ પૂછે તામ. ૩ - ભાવાર્થ હવે એક દિવસ ઉલટ સહિત લીલાવતી પોતાના પતિની અનુમતિ લઈને પ્રેમભર હૈયે પોતાને પિયર પહોંચી. (૧)
અને પોતાના માતા-પિતા અને પોતાના બંધુને મનરંગે જઈને મલી તેઓ પણ | લીલાવતીને ભેટ્યાં અને સહુના શરીર રોમાંચિત થયા. (૨)
હવે લીલાવતી ત્રણકાલ જિનપ્રતિમાની મનરંગે વિધિસહિત પૂજા કરે છે અને એક દિવસ લીલાવતીને પૂજા કરતી જોઈને તેનો બંધવ તેને પૂછવા લાગ્યો. (૩)
(અરિહંત પદ ધ્યાતો થકો - એ દેશી) ગણધર નામે જેહ છે, લીલાવતીનો ભાઈ રે; પૂજાનું ફલ પ્રેમશું, પૂછે તે ચિત્ત લાઈ રે. ઈમ૦ ૧ ઈમ જાણી જિન પૂજિયે, લીલાવતી ઈમ ભાખે રે; જિનપૂજા એ જીવને, દુરગતિ પડતાં રાખે રે. ઈમ૦ ૨ પાપ સંતાપ દૂર હરે, આપદ મૂલ ઉથાપે રે; સીંચી પુણ્ય અંકુરને, સ્વર્ગ સૌભાગ્યને આપે રે. ઈમ૦ ૩ રોગ-શોગ-દોહગ હરે, કોડી કલ્યાણની કરતા રે; વધારે જસ પ્રીતિને, વિકટ સંકટ નિહરતા રે. ઈમ૦ ૪ સ્વર્ગ તેહને ઘર આંગણું, કમલા કરે ઘરવાસો રે; ગુણાવલી ગાગે વસે, ત્રિભુવન તેહનો દાસો રે. ઈમ૦ ૫