SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ STS STS STS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ 2 3 પણ જો આ બાળક જીવશે તો એમ માનીશ કે મારા હાથમાં આવ્યો તેથી આ બાળક દિન જીવ્યો તે તેનું ફળ છે. એમ ચિંતા સમુદ્રમાં પડેલો તે મુસાફર વિચાર કરી રહ્યો છે. (૧૪) એટલામાં સુબંધુ નામનો સાર્થવાહ મોટો સાથે સાથે લઈ તે ઉદ્યાનમાં આવ્યો. ત્યારે તે IS સાર્થવાહના અનુચરો પાણી લેવા માટે તે કૂવા સ્થાને આવ્યાં. (૧૫) મિ તે સમયે કૂવામાં રહેલ મુસાફર ભૂખ્યા એવા તે બાળકને કંઠે લગાડી રહેલો છે અને Sી બંને જણા કૂવામાં કરૂણ સ્વરે મુખથી મોટે સ્વરે રૂદન કરી રહ્યા છે. (૧૬) B વારંવાર વિવિધ પ્રકારના વિલાપ તે કરી રહ્યા છે અને મુસાફર વિલાપ કરતો વિચારે ીિ છે. ‘મા’નો વિરહ આ બાળક કેવી રીતે સહન કરી શકે? ખરેખર આ તો મહા દુઃખનું મૂલ દિને છે. એમ તે બાળકનું દુઃખ મુસાફરને ફૂલની જેમ ખટકી રહ્યું છે. (૧૭). ત્યારબાદ કૂવા કાંઠે પાણી લેવા આવેલા અનુચરોએ આ અવાજ સાંભળ્યો. તેથી કી તેઓએ આવી સાર્થવાહને તે વાત જણાવી અને કહ્યું કે કૂવામાં કંઈક કારણ જણાય છે. થી મોટેથી કોઈક પોક મૂકીને રડે છે. (૧૮) આ પ્રમાણેનો વિરતંત સાંભળી સાર્થવાહ પરિવાર સાથે લઈ કૂવાનાં કાંઠે આવ્યો અને Sી તે બંનેને કૂવામાંથી તુરંત બહાર કઢાવે છે. (૧૯) | ગુણના ઘર રૂ૫ સાર્થવાહ યંત્રવિધિની યોગ્ય બુદ્ધિ કેળવીને બાળક અને મુસાફરને | બહાર કઢાવે છે. એ પ્રમાણે અઢારમી ઢાળમાં ઉદયરત્નજી મહારાજ ફરમાવી રહ્યા છે. તે | ભવ્યજનો ! કર્મબંધ કરતાં પહેલા ખૂબ વિચાર કરજો અને જો કર્મબંધ કરતાં પાછું વાળીને ની જોતાં નથી તો તે કર્મબંધના કવિપાકને ભોગવવાની તૈયારી રાખજો. તે ભોગવ્યા વિના છુટકારો થતો નથી. (૨૦)
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy