________________
સપ્તફણા શોભે મનોહારી, નયન મનોહર પરિકરધારી. દેવી ૫. કમલ પાશાંકુશ ફળ રૂડું સંગે, ચાર ભુજામાં કલામય અંગે. દેવી ૬. વિવિધ સ્વરૂપે ભિન્ન ભિન્ન નામે, જગપૂજે સહુ સિદ્ધિ કામે. દેવી ૭. શીઘ્રફળા તું સંકટ ટાળે, વિપ્ન વિદારે વાંછિત આલે. દેવી ૮. ધરણેન્દ્ર દેવનાં દેવી છો ન્યારા, પાર્શ્વભક્તોના દુઃખ હરનારા, દેવી ૯. મુંબઈ નગરે વાલકેશ્વર તીર્થે, દર્શન કરતાં દુઃખ સહુ વિસરે. દેવી ૧૦. મુંબઈ નગરે આગાશી તીર્થે, દર્શન કરતાં દુઃખ સહુ વિસરે. દેવી ૧૧. ધર્મ પ્રતાપે આશીષ દેજો. ‘સુયશ' સિદ્ધિને મંગલ કરજો દેવી ૧૨. શાન્તિકળશ કરી. ઈરિયાવદિય કરી ચૈત્યવંદન કરવું.
ક્ષમાયાચના કરી વિસર્જન કરવું
ॐ ह्रीँ श्री पार्श्वनाथ शासनदेवि भगवति पद्मावति विसर विसर, स्वस्थानं गच्छ गच्छ, पुनरागमनाय प्रसीद प्रसीद स्वाहा
કહી વાસક્ષેપ કરી વિસર્જન મુદ્રા બતાવવી.