SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની ભગવંતો કહે છે, ક્રોધના વશ થકી પ્રાણીઓ શું શું ન કરે! અર્થાત્ અનર્થ જ કર્યા કરે. બીજાના દુઃખને સમજી શકતા નથી. ફક્ત 4ષના માર્ગે ચાલતા હોય છે. અવળે માર્ગે જતાં થોડું પણ જે રહેલું જ્ઞાન તે પણ નાશ પામે છે. ભવાંતરથ લાવેલા જે પુણ્ય તેની હાનિ થાય છે. પુણ્ય હાનિ થતાં પાપનાં પોટલાં માથા પર ખડકાય છે. પાપની જે ખાણ હોય તેને ભરે છે. આવા ક્રોધીજીવાત્માને માટે શિવનગરના દ્વાર બંધ થાય છે. ક્રોધ એ શિવપુરની અર્ગલા છે. છેવટે તેનું સ્થાન નરક સિવાય બીજે ક્યાંયે હોતુ નથી. હે પ્રાણીઓ, તમે કોઈ ક્રોધ ન કરશો. શાસ્ત્રમાં કેટલાયે ઉદાહરણો ટાંક્યા છે કે ક્રોધને વશ થયેલ જીવોની શી શી હાલત થઇ છે. પૂર્વોડ વર્ષ સુધી સુંદરતા સંયમ ચરિત્રની આરાધના કરનાર મહાન પુણ્યશાળી આત્માઓ, ફક્ત બે ઘડી ક્રોધને વશ થતાં પૂર્વક્રોડ વર્ષના સંયમના ફળને ખોઈ નાખે છે. ચારિત્રને બાળી નાખે છે. આવી વાતો સિદ્ધાન્તના પાને લખાઈ છે. દંડક રાજા પાલક મહામંત્રી આ ભરતક્ષેત્રમાં સાવત્થી નગરીના રાજા જિતશત્રુની રાણી ધારણીનો રાજકુમાર અંધકકુમાર, રાજકુંવરી પુરંદરા હતા. રાજકુમારીને કુંભકારનગરના રાજા દંડકને પરણાવી. દંડકરાજાને પાલક નામનો અભવ્ય દુષ્ટ બુદ્ધિ વાળો મંત્રી હતો. એકદા રાજ્યના કામ અંગે પાલક સાવથી નગરીમાં આવ્યો. તે વખતે વીસમા શ્રીમુનિસુવ્રત સ્વામી વિહાર કરતાં આ નગરીમાં આવ્યા. પ્રભુના મુનિઓની અવહેલના પાલકે કરી. નિંદા વિકથા આદિ કરવા લાગ્યો. તે સાંભળી અંધકકુમારે પાલકને ધુત્કારીને કાઢી મુક્યો. તેથી પાલક ખંધકકુમાર ઉપર ઘણો રોષે ભરાઈને પોતાના નગરમાં ચાલ્યો ગયો. આ બાજુ પરમાત્માની દેશના સાંભળવા પિતા સાથે ખંધકકુમાર પણ ગયો. દેશના સાંભળી વૈરાગ્યે થતાં પિતાની અનુમતિ લઇને ૫૦૦ રાજકુમાર સાથે પરમાત્મા પાસે દીક્ષા લીધી. નિરતીચારપણે સંયમ પાળતા ઉગ્ર તપ કરતાં જ્ઞાન ધ્યાનમાં ઘણા આગળ વધી ગયા. એક વખત પરમાત્મા પાસે બંધક મુનીએ જ્ઞાના માંગી. હે પ્રભુ! બેનના દેશમાં જવાના ભાવ છે. આજ્ઞા આપોતો તે તરફ જઈએ. પ્રભુ કહે, હે મહામુની! તમારા બેનના દેશમાં મરણાંત ઉપસર્ગ આવશે. બંધક મુની કહે, પ્રભુ! જીવતા પણ આરાધના સુંદરતર થાય છે. મરણ આવશે તો મોક્ષ સુખને પામશું. ઉપસર્ગનો ભય નથી. પ્રભુ કહે, હે મહામુનિ! આ ૫૦૦ શિષ્યોને પણ મરણાંત ઉપસર્ગ આવશે. સૌ કહે ભલે. હસતાં હસતાં ઉપસર્ગને સહન કરતાં કર્મને વિદારશું. પ્રભુની આજ્ઞા લઇ ૫૦૦ શિષ્યો સાથે બંધક મહામુનિ બેનના દેશ કુંભકાર નગરી તરફ વિહાર કરી ગયા. આ સમાચાર પાલકને મળી ગયા. તેણે વેર લેવાનું નક્કી કર્યુ. નગર બહાર ઉદ્યાનમાં જમીનમાં ખાડો કરીને હજારો હથિયારો ગુપ્ત પણે મંડારી દીધા. આ બાજુ મુનિ મહારાજ ૫૦૦ શિષ્યો સાથે આ ઉદ્યાનમાં સ્થિરતા કરી. રાજાને વધાઇ ગઇ. બંધક મુનિ પધાર્યા છે વંદન કરવા માટે પાલક ને કહ્યું. પાલક કહે,મહારાજ! આ સાધુ ઢોંગી છે. સાધુના વશમાં ૫૦૦ સુભટો લઈને આવ્યો છે. જે તમારું રાજ લઈ લેવા આવ્યો છે. તેણે તો પહેલેથી જ ઉદ્યાનમાં હથિયારો સંતાડ્યા છે. રાજાને સાથે લઈને ઉદ્યાનમાં સંતાડેલા પોતે હથિયારો કાઢી બતાવ્યા. વાત બંધ બેસતી આવી. દંડક રાજા મુનિઓ પર ક્રોધે ભરાયો અને બધા જ મુનિને બંધનમાં નાંખી દઇને પાલકને સોંપી દીધા. આ મુનિઓને જે શિક્ષા કરવી હોય તે કરજે. રાજાની આજ્ઞા મળતા ઘણો આનંદ પામતો પાલક મુનિઓની કદર્થના કરવા લાગ્યો અને મુનિઓને તેલની ઘાણીમાં તલવાની સજા ફરમાવી. ૫૦૦ મુનિઓને ઘાણી પાસે લઈ ગયો. અંધક મુનિને ઘાણી પાસે એક થાંભલે બાંધી દીધા. ૫૦૦ શિષ્યોને વારાફરતી ઊંચકીને ઘાણીએ પીલવા લાગ્યો. ક્રોધને વશમાં વેરનો બદલો લેતો પાલક ઘણો આનંદ પામવા લાગ્યો. જ્યારે મુનિ અંધકે પોતાના ૫૦૦ શિષ્યોને નીજામણા કરાવવા લાગ્યા. ૪૯૯ નીજામણા કરાવી અંતગ્રહ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૬૫
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy