________________
રાસ રચ્યો રળિયામણો રે, સુરસુંદરીનો રસાલ રે, બીજા ખંડણી કહી, ચોથી ઢળકતી ઢાળ રે, કહે જિનવીર કૃપાલ રે, ભવિયણ ક્રોધને ટાળ રે,
બાંધો પુણ્યની પાળ રે. ક્રોધ. ૧૨ ભાવાર્થ -
વેરનો બદલો દરિયાનો કિનારો, પૂરબહાર ખીલેલી વનરાજીથી ભરેલું ઉપવન. લતામંડપ નીચે વિશ્રામ કરતા દંપતી નિર્ભયપણે નિદ્રા લેતી સુંદરી, ને કુવિચારે ચડેલો એકાન્તમાં રહેલો કુમાર. સુંદરી સ્વપ્ન સૃષ્ટિમાં વિહરે છે. કુમારને ભૂતકાળ આંખ સામે તરવરે છે. ચિત્તને વિષે બાળપણાની દુનિયામાં ચાલ્યો ગયો. ઠીક! આ બાળા મારી સાથે ભણતી. અમે સાથે ભણતાં રમતાં. આજ અમે આ સ્થાને પહોંચ્યા. પણ.. પણ. કુવિચારોના વાદળો અચાનક ધસી આવ્યા. ઘણી બધી સારી વિચારસરણીએ ચડી ગયેલા કુમારને સાત કોડીની વાત સાંભરી આવી. એક પછી એક થયેલ વાતો સ્મરણ પટ પર આવવા લાગી. મેં આંચળેથી છોડેલી સાત કોડી, મંગાવેલી સુખડી, સરખે ભાગે વહેંચીને દીધેલી સુખડી, સુંદરીનો ભાગ રાખી, અમે સૌ એ ખાધી, સુંદરીએ કરેલું અપમાન. સુખડીની વાત, તેથી દીધેલી ગાળ, બાલ્યકાળની બધી વાતો તાજી થઇ. હા તે વાળેએ મેં જવાબ આપ્યો નહોતો. મૌન રહીને અપમાનને ગળી ગયો. હૈયે લાગ્યો એ ડંખ. એ ડંખ અત્યારે કુમારને બમણા જોરથી હૃદયમાં ડેખવા લાગ્યો. બદલો લેવાની વૃત્તિ થઇ આવી. મન અને વિવેક બુદ્ધિ વચ્ચે જોરદાર ઘમસાણ ચાલુ થયું. મને કહે કે કુમાર! તક મળી છે બદલો લેવાની. છોડી દે પત્નીને! મેવળશે રાજ. પછી જો જે તેના હાલ! વિવેકી બુદ્ધિ કહે – હે કુમાર! આ અબળા ઉપર આવા કુવિચાર? બાળપણની વાત અત્યારે વિસરાઇ ગઇ છે. આ વાતને હવે શું? બધું જ છોડીને આવી છે તારી સાથે ને તારા વિશ્વાસે તારી સેવા ભક્તિમાં ક્યાંયે ઓટ આવવા દીધી છે? ભૂલી જા બધું જ ભૂલી જા. બિચારી અબળાના બોલનો બદલો લેવાનો છોડી દે. સુખી સંસારને દુ:ખમાં ન નાખ. કુમારની બુ
બુદ્ધિ અને મન વચ્ચે ચાલેલું યુદ્ધ. આખરે મનનો વિજય થયો. વિવેક બુદ્ધિ હારી ગઇ. કુબુદ્ધિએ કુમારનો કબજો લીધો. કહી દીધું સાત કોડી દઈ દે. જો હવે તે શું કરે છે? કેવી રીતે રાજ લે છે?
સાતે કોડી કાઢીને સુંદરીના આંચલે બાંધી દઉં. આ પ્રમાણે વિચારતા સબુદ્ધિ ચાલી ગઈ. કુબુદ્ધિથી બદલો લેવાનો પાકો નિર્ણય થઈ ચૂક્યો. વિશ્વાસઘાત કરવા તૈયાર થયો. સૂતેલી સુંદરીને શી ખબર કે મારો સ્વામી વિશ્વાસઘાત કરશે. સ્નેહને ભૂલી ગયો. પ્રીતિ ભૂલી ગયો. કુંવરીની વફાદારીને ભૂલી ગયો. ન કરવાના કામ કરવાને માટે તૈયાર થયો. કઠણ કલેજાના માણસો ન કરે તેવું કામ કરવા કુમાર તૈયાર થયો. આ ટાપુ ઉપર એકલી સ્ત્રી છોડી દેવા તૈયાર થયો. જાણે છે કે અહિંયા એનું કોણ! શું કરશે બિચારી! પણ ડખેલી વાત હૈયે ધસી આવતાં બધું જ ભૂલીને દેખતાં છતાં અત્યારે આંધળો બની ગયો છે.
સૂતેલી કુંવરીના આંચલે નિર્લજજ કુમારે સાત કોડી બાંધી દીધી. ને ઉપર લખી દીધું કે સાત કોડીથી રાજ્ય મેળવજે. ખોળામાં રહેલું માથું હળવેકથી નીચે મુકી દીધું. ને એકલી સૂતેલી બાળાને છોડીને પૂર્વભવના ભયંકર પાપના ઉદય કુવિચારોને રવાડે ચડેલો કુમાર નિર્દય બનીને ચાલ્યો. હજુ ચાર ડગલા ગયો વળી મનમાં વિચાર આવ્યો. કુમાર આ શું કરો છો! પાછા વળો. સ્વીકારી લ્યો. ન છોડો આ નિર્જન ટાપુ ઉપર. વળી મેલા મને હરાવી દીધો. ક્રોધના વશે પડેલા માણસો અકાર્ય કરવામાં પાછા પડતા નથી, જેથી જગમાં તેની લાજ રહેતી નથી. સમાજમાં અપભ્રાજના થાય છે. માટે હે ભવ્ય જીવો, ક્યારેય ક્રોધને વશ ન થશો.
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
६४