________________
શિયાળ એક ગુણઃ સંકટ આવતાની સાથે પલાયન થઈ જાય છે. કોયલ : એક ગુણ મધુર બોલવું. લુહાર : એક ગુણ : ભાંગેલા લોઢાના ટુકડાઓને સાંધે છે તેમ માણસે પણ કોઇના મન ભાંગ્યા હોય, એટલે એકબીજા વચ્ચે દુશ્મનાવટ થઈ હોય તો તે ટાળીને બંનેનાં મનને મેળવી આપવા.
આ પ્રમાણે માતાએ ૩૨ ગુણોને જણાવતાં અમરને છેલ્લે કહે છે આ ગુણોને હૈયામાં ધારણ કરજો. વૃદ્ધ ચાણક્યના વિચારો નીતિકારોએ નોંધ્યા છે, તો તે વિચારો થકી મહાન, સુખ અને મોટી સંપદાને પામશો. વળી પરદેશમાં સર્વ સમયે સાવધાન જાગૃત રહેજો. વળી કયારેક કષ્ટ પડે, મુશ્કેલીમાં મુકાઇ જાવ તો નવકાર મંત્રને જરુર ગણજો. દરરોજ તો ગણવાના જ મહામંત્રને પણ સંકટ વિપત્તિ પડે ત્યારે તો તરત જ પળનો ય વિલંબ કર્યા વિના મંત્રને ગણવો.
રાત્રિના પશ્ચિમ ભાગે એટલે રાત્રિના છેલ્લા પહોરે જાગજો અને દ્રવ્યાદિક એટલે પાણી વડે હાથ પગ ધોઇને શ્રાવકને યોગ્ય પંચપરમેશ્વરનું ધ્યાન પ્રતિક્રમણ આદિ આવશ્યક ક્રિયાને કરજો. તે આરાધના વડે આ ભવ પરભવ સુખને મેળવશો.
વળી પરદેશમાં કયાં ય પણ જાવ આવો તો સર્વ સમયે સાવધાન રહેજો. ભવાંતરે કરેલા શુભકર્મના ઉદયે ધન મળે છે અને ધર્મજનોને ધર્મની આરાધના કરવાથી વળી પરલોકને વિશે ધનની પ્રાપ્તિ થાય છે. સૂર્યોદય થયે છતે જે નર સૂતો રહે છે તેનું આયુષ્ય ક્ષય પામે છે. માટે કરીને રાત્રિના વિષેની પાછળની ચાર ઘડી બાકી રહે ત્યારે નિદ્રાનો ત્યાગ કરજો. આ પ્રમાણે દીકરાને હિતકારી હિતશિક્ષા આપી.
અમરકુમાર માતાને કહે છે તે માતાજી! હવે મુજને આશીર્વાદ આપો અને આપ બંને કુશળરુપ સુખમાં રહેજો. વળી માતાના હૈયે દીકરો પરદેશ જાય છે તેનું ઘણું દુઃખ છે. એ દુઃખને અંતરમાં છુપાવીને આશીર્વાદ આપી રહી છે. કુશળ રહેજો. શરીરને સંભાળજો. તમે બંને શાંતિ સમતાને ધારણ કરજો અને વળી વેગે પાછા વળજો અને અમને દર્શન આપજો.
આ પ્રમાણે બીજા ખંડને વિષે બીજી ઢાળને સમાપ્ત કરતાં મા પોતાના પુત્રને કહી રહી છે કે વીરતા-શૂરવીરતાપૂર્વક પરદેશમાં સંચરજો. હેમખેમ કુશળપણે રહેજો.
દ્વિતીય ખડે બીજી ઢાળ સમાપ્ત
(૫૪
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)