________________
પ્રાણેશ્વર! જ્યાં દેહ હોય ત્યાં તેની છાયા હોય. દેહથી છાયા કદી જુદી ન હોય. તેમ હું આપની છાયારુપ ક્યારેય છૂટી નહીં રહું. પતિ-પત્નીના ચાલી રહેલા સંવાદમાં કુમારને નમતું જોખવું પડ્યું. અને કુંવરી જવા તૈયાર થઇ ગઇ. બંનેએ સંપીને વિચાર કર્યા બાદ માત-પિતાને વાત જણાવી. પુત્ર જતાં દુ:ખ ઘણું હતું. તેમાં વળી પુત્રવધૂની જવાની વાત સાંભળતાં વધારે દુ:ખી થયા. દુ:ખી હૈયે પિતાએ જોષી પાસે શ્રેષ્ઠ મુહૂર્ત જોવરાવ્યું. શુભ દિવસ આવી ગયો. આ વાતની જાણ રિપુમર્દન રાજા અને રતિસુંદરીને થતાં ચિંતિત થયાં. જમાઇ અમરકુમા૨ે સાસુ સસરાની રજા માંગી. દુભાત દિલે રાજાએ આજ્ઞા આપી. શુભ દિવસ આવી ગયો. માતા પુત્ર-પુત્રવધૂને લલાટે ચાંલ્લો કરી, ચોખાથી વધાવે છે. શુભ આશીર્વાદ આપે છે.
આ પ્રમાણે પરિવારની અનુજ્ઞા મેળવી. ૨જા મેળવી અમર-સુરસુંદરી પરદેશ જવા તૈયાર થયા છે. રાસની બીજાખંડની પહેલી ઢાળ સમાપ્ત કરતાં કવિરાજ કહી રહ્યા છે કે ભાવિમાં જે બનવાનું છે તે અવશ્ય બનીને રહે છે તેમાં કોઇ મિથ્યા કરી શકતું નથી.
દ્વિતીય ખંડે પ્રથમ ઢાળ સમાપ્ત
(દોહરા)
માત હવે શિક્ષા દીએ, અમર કુમર ને પરદેશે જઇ સિરિ લહી, સકળ કરો વિ પણ સુણ નંદન તાહરી, સરસ સુકોમલ દેહ; પણ પરદેશે ચાલતાં, સુખ દુઃખ સહશો કેહ. ૨ ગુણ બત્રીસ પશુઅ તણા, ધરજો હૃદય મોઝાર; તો પરદેશે રિપુજના સકલ કરે તુમ સાર. ૩ સિંહ એક બગ એક ગુણ, ચરણાયુધના ચાર; વાયસ પંચ ગુણા ગ્રહો, ખટ શુન ખર ત્રિણ સાર. ૪ ચારમતિ ૫રધાનની, હંસ મોર ભૃગ મીન; માળી કોલ કોકિલ લોહક એ સવિ એક ગુણેન પ
તામ; કામ. ૧
ભાવાર્થ:
અમર સુરસુંદરી શ્રેષ્ઠિપુત્ર - પુત્રવધૂ પરદેશ જાય છે. આ વાત સારા યે નગરમાં ફેલાઇ ગઇ. સૌને આનંદ થયો. માતા દીકરાને હવે શિખામણ આપતા કહે છે. વિનયશીલ અમરકુમાર માતાની વાત સાંભળે છે. : ‘હે દીકરા! પરદેશ જાવ છો તો લીલાવડે કરીને લક્ષ્મીને મેળવો, તમારી ઇચ્છા મુજબના સઘળા કામોને સફળ કરો. તમારી આશાઓ ફળીભૂત થાઓ. પણ હે નંદન! સાંભળ, તારું શરીર નાજુક નમણું છે. તારો દેહ સુકોમળ છે. પાણી માંગતા દૂધ મળ્યા મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
૫૦