________________
ભાવાર્થ -
હવે ગ્રંથકર્તા બીજોખંડ ચાલુ કરતાં પહેલાં સરસ્વતી માતાની ઉપાસના કરે છે. હે સરસ્વતી મૈયા! આપની અસીમ કૃપા મારી ઉપર વરસી છે. વળી આવી રહેમનજર મારી ઉપર રાખજો. હે માતા! મારી જીભે આવીને વસો. અને રસવાળા એવા વચનોને હમેશાં વરસાવજો. વચનના વિલાસનું દાન કરજો. મારી મંદબુદ્ધિ છે. તમારી સહાયતાથી જે કંઈ મારી લખવાની ભાવના છે તે પૂર્ણતાને પામે. હું આપને ભાવપૂર્વક પ્રણામ કરું છું. મારા પ્રણામને સ્વીકારજો.
દેવગુરુ કૃપાથી અને આપની સહાયતાથી મારો પ્રથમખંડ મધુરરસથી પૂર્ણતાને પામ્યો, જે સુપ્રમાણ છે. હવે આગળ આ મહાસતિની રસિક કથાને કહેવા માટે બીજા ખંડનો પ્રારંભ કરું છું. હે શ્રોતાજનો. તમે સાંભળજો, કારણકે શાસ્ત્રને જાણનારા શ્રોતાઓ હોય તો વક્તાની કળા પ્રમાણભૂત છે. નહિ તો... મૂરખ શ્રોતા હોય તો તેની આગળ વક્તાની કળા નિષ્ફળ જાય છે.
મૂરખ શ્રોતા આઠ પ્રકારે કહ્યા છે. ઊંધે, રીસ કરે, વાતો કરે, ઝોકાં ખાય, શરીરના ચેનચાળા કર્યા કરે, અડધેથી ઊભા થઈ ચાલી જાય, બે પગની વચ્ચે માથું નાખી રાખે, ને મુંગાની જેમ બેસી રહે. આવા શ્રોતાની આગળ વક્તાની કળા વાંસની નળી એટલે ભૂંગળીમાં કુંક મારવાથી જેમ હવા બીજી બાજુ નીકળી જાય, તેમ ધર્મકથા જે કહી હોય તે રહેતી
અથવા એક કાને સાંભળી બીજા કાને નીકળી જાય છે. એ ધર્મકથાની કંઇજ અસર થતી નથી, માટે શ્રોતાઓ! તમે સૌ વિનીત અને વિવેકી છો, સારી રીતે સાંભળો. હું જે કહું તે ચિત્ત દઈને સાંભળો. તમે સૌ સ્નેહ ધરીને મારી સન્મુખ જુઓ, પ્રસન્ન ચિત્તવાળા, ગુણની ગવેષણા કરનારા, સારી રીતે વિધિને જાણનારા છો. સમજુ મનુષ્યો : ગુણોનું પારખુ કરનારા હોય છે. કવિની કળાથી રસિકતાથી ભરપૂર એવા ચમત્કારોને જોતાં સાંભળવામાં મસ્ત બની જાય જે કારણે તેનું મસ્તક ધુણવા લાગે. અર્થાત્ ડોલી ઉઠે છે. યુક્તિ પ્રયુક્તિપૂર્વક વક્તાના વર્ણવેલા ગુણોને ગ્રહણ કરે છે. ચતુરાઈપૂર્વક નયનો વિસ્ફારિત થતા હોય છે ત્યારે વક્તાને કથા કહેવામાં વધારે રસ પડે છે. આવા શ્રોતાગણ પામીને કવિ પોતાની કળા વિશેષ પ્રકારે દાખવે છે. તેથી તમે સૌ ચિત્તની એકાગ્રતાપૂર્વક કાન દઈને સાંભળો. વળી સાતે પ્રકારની વિકથાને છોડી દઇને એક તાન થઈને સાંભળજો. સાતે પ્રકારની વિકથા - સ્ત્રી કથા, ભક્ત કથા, દેશ કથા, રાજ કથા, મદકારાણિક કથા. દર્શનભેદિની કથા અને ચારિત્ર ભેદિની કથા આ સાતે કથાઓ વિકથા કહેવાય જે ત્યાગ કરવા લાયક છે. ધર્મશ્રવણ વેળાએ અવશ્ય ત્યાગ કરવી જોઇએ.
પિતાની સાથે દરરોજ અમરકુમાર પેઢી ઉપર બેસે છે. પેઢી પર આવતા અવનવા વેપારીઓ અવનવી ચીજ-વસ્તુને પણ જુએ છે. વેપારીઓની સાથે ઓળખાણ પણ શ્રેષ્ઠી ધનાવહ કરાવે છે. સમજુ અને ગુણીયલ કુમાર સામા ચિત્તને હરણ કરનારો બને છે.
એકદા શેઠની પેઢીએ વધામણી આવી. દરિયા કાંઠે પરદેશથી વહાણ આવ્યા છે. સાંભળી શેઠ અને પેઢીના માણસો સૌ હર્ષિત થયા. શેઠે વેપારી સાથે સોદો કરી વહાણમાં આવેલી વસ્તુને વખારે ભરાવી દીધી. પુત્રની સાથે વસ્તુનું લેખુંલખાણ કરાવ્યું. દરરોજ બજારમાં આવેલ માલનું વેચાણ ચાલુ થયું. તેનો હિસાબ અમરકુમારે સંભાળ્યો છે. આ રીતે વેપારમાં ભળતાં કુમારને હવે દિવસે દિવસે વ્યાપાર કરવાનો રસ જાગવા લાગ્યો.
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
૪૬