SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલી રહ્યા છે. તેની પાછળ નગરનારીઓ રથમાં બેઠી માંગલિક ગીતો ગાઇ રહી છે. સાજન માજન સાથે ધનાવહ શેઠ, ધનવતી શેઠાણી વરઘોડામાં મહાલી રહ્યા છે. વરઘોડો નગરની શેરી-શેરીએ ફરતો રાજમાર્ગ આવ્યો. આમ મોટા મંડાણે વરરાજા રાજમાંડવે આવ્યા. રાણી, સાસુજી-રતિસુંદરી જમાઇરાજને પોંખવા માટે આવ્યા. ત્યારે બીજી તરફ વરઘોડે ચડેલા અમરકમર નીચે ઉતર્યા અને તોરણે આવ્યા. તોરણને છળીને સાસુએ પોંખેલા જમાઈરાજ લગ્નની ચોરીમાં આવ્યા. જાનૈયાઓ મંડપમાં આવ્યા છે. રાજારાણી પ્રધાન આદિ રાજપરિવાર આંગણે આવેલા વેવાઇ-વેવાણને તથા જાનમાં આવેલા સાજનને સત્કાર કરવામાં પાછી પાની કરતા નથી. લગ્ન ઘડી આવતાં રાજમહેલેથી સોળે શણગાર સજેલી રાજકન્યાને પણ ચૉરીમાં પધરાવે છે. રાજ ગોર મહારાજા વેદપાઠોને ભણે છે. મોટા મનથી રાજ-રાણી પોતાની એકની એક લાડકવાયી કુંવરીનું કન્યાદાન કરે છે. ત્યાં હસ્તમેળાપના અવસરે હસ્તમેળાપ કરાવે છે. ત્યારબાદ અગ્નિની સાક્ષીએ. બ્રાહ્મણ, માતા-પિતા અને આવેલ સાજન માજનની સાક્ષીએ, ચાર ફેરા રુપ ચાર મંગળ વર્તાય છે. ચાર મંગળ વેળાયે રાજા જદાં જુદાં દાન કરે છે. વળી કંસાર જમવાની વેળાએ પ્રીતેથી વર કન્યાને અને કન્યા વરને કંસાર જમાડી રહી છે. સાસુજી સ્નેહથી કંસારમાં ઘી અને સાકર ભેળવીને પીરસી રહ્યા છે. આડબંરપૂર્વક મોટા મહોત્સવે શ્રેષ્ઠિપુત્રના ધામધૂમથી લગ્ન થયા. રાજાએ કન્યાદાનમાં મૂલ્યવાન વસ્તુઓ આપી. વેવાઈ વેવાણ આદિ પરિવારોને પણ ઘણી મોટી મોટી પહેરામણી આપી. મંગલના ચાર ફેરા ફરતા વળી વિવિધ પ્રકારના દાન આપ્યા છે. ભારે હૈયે માત-પિતા દીકરીને શિખામણ આપીને જમાઇને પણ ઘણી ભલામણ સાથે દીકરીને સાસરે વળાવી. શ્રેષ્ઠિપુત્ર પહેરામણી સહિત કન્યાને લઈને પોતાની હવેલીએ આવ્યા. લગ્ન મહોત્સવ નિમિત્તે શ્રેષ્ઠિ ધનાવહે આડંબર પૂર્વક જિનમંદિરે અઠ્ઠા મહોત્સવ મંડાવે છે. સંસારમાં પગરણ માંડવા તૈયાર થયેલા પતિ-પત્ની પરમાત્માને ક્યારેય ભૂલતા નથી. ઘરે આવતા પહેલાં વરઘોડિયા પ્રથમ જિનમંદિરે દર્શન કરીને પછી ઘરે આવ્યા. હવે પરમાત્માની ભક્તિ સહિત ત્રિકાળપૂજા આવશ્યક ક્રિયા કરતા, પિતાજીની પેઢી સંભાળતા, અમરકુમારનો સંસાર સુખમાં ચાલ્યો જાય છે. પાંચેય વિષયોમાં સંપૂર્ણ પણે સુખમાં મહાલતા પતિ-પત્નીના કેટલાયે દિવસ રાત ગયા એ સમયની પણ ખબર ન પડી. આનંદમાં મગ્ન રહેલા અમરકુમાર માતાપિતાના વિવેકને ભૂલતા નથી. સુરસુંદરી પણ મર્યાદાપૂર્વક વિનયથી સાસુસસરાને માતા-પિતાથી અધિક માનતી, સેવા કરી રહી છે. તાણે વાણે વણાએલા વિવેક-વિનયથી સાસુ-સસરાના દિલને જીતી લીધા છે. રાસની આઠમી ઢાળ સમાપ્ત કરતાં પૂ. વીર વિજયજી મ. સા. કહે છે કે પંચપરમેષ્ઠી પ નવકાર મંત્રની આરાધનાથી સંસારી જીવો સુખોને મેળવે છે. પરંપરાએ મોક્ષ સુખને પણ મેળવે છે. પ્રથમ ખડે આઠમી ઢાળ સમાપ્ત (ચોપાઈની દેશી) ખંડ ખંડ જિમ ઇસુ ખંડ, સુરસુંદરીનું ચરિત્ર અખંડ; શ્રી શુભવિજય ગુરુથી લહ્યો, ખંડ પ્રથમ વીરવિજયે કહ્યો. ૧ જેમ શેરડીના સાંઠામાં કટકે કટકે વિશેષ મીઠાશ હોય છે, તેમ આ રાસમાં પણ ઘણી મીઠાશ છે. આ સુરસુંદરીનું ચરિત્ર અખંડ છે. આ રાસનો પહેલો ખંડ ગુરુદેવ શ્રી શુભવિજયજી મહારાજના મુખથી જે પ્રમાણે સાંભળ્યો, એજ પ્રમાણે વીરવિજયજી મહારાજે કહ્યો. પ્રથમખંડ સમાપ્ત ૪૪ (મહાસતી શ્રી સુરસુંદરીનો રસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy