________________
ભાવાર્થ :
A
રાજા અને શેઠ બંનેના પરિવારમાં આ વાતની જાણ થઇ. પ્રજાજનોએ પણ આ વત જાણી, સૌ આનંદિત થયા. બરાબર જોડી જામી છે. બંને પાત્ર બરાબર છે. રાજ્યના જોષીએ શુભમુહૂર્ત પણ દીધું. ને હવે બંને પક્ષે લગ્નની તૈયારીઓ થવા લાગી.
હવે રાજા અને શેઠ બંને જણા કુંવરી-કુમારના લગ્નની કંકોત્રીઓ સઘળી જગ્યાએ મોકલી આપે છે. કંકોત્રી મળતાં સ્વજન વર્ગ-જ્ઞાતિજનો-સંબંધીઓ સગાઓ તેમજ મિત્રમંડળ આદિ સૌ આ મહોત્સવમાં આવવા લાગ્યા. રાજાની કુંવરીના લગ્ન હતા. આમંત્રણ-નિમંત્રણ મળતાં સાજન માજન આવતાં નગરીમાં માનવોની મહેરામણ ભરચક થઇ. મિત્રરાજાની કુંવરીઓ પણ ભેટણાં લઇને ત્યાં આવી છે. જુદી જુદી નગરીઓમાં મોકલેલ આમંત્રણોએ ઘણા રાજકુમારો પણ વિવાહમાં આવ્યા છે. રિપુમર્દન રાજાએ-પ્રધાનને બોલાવીને આવનાર મહેમાનોને ઉતરવાની રહેવાની આદિ ઉત્તમ પ્રકારની સગવડો કરી રાખી છે. આવનાર સૌ માનતા કે આવી શ્રેષ્ઠ કુંવરીના લગ્ન જોવા એતો જીવ્યા કરતાં જોયું ભલું! એના જેવી વાત હતી.
લગ્નની તૈયારી-બંને પક્ષે થઇ રહી છે. રાજમહેલે અને શ્રેષ્ઠીની હવેલીએ. અમરકુમારે પણ નિશાળે સાથે ભણતા સહુ મિત્રવિદ્યાર્થીઓને પણ લગ્નમાં બોલાવ્યા છે. શુભ અવસરે પ્રથમ મંગલમાં માંગલિક કાર્ય અર્થે કુંમકુંમના હાથ દેવરાવે છે. આસોપાલવના રત્નમય નીલ વર્ણના પાનનાં તોરણો બારણે બંધાય છે. નગરની સૌભાગ્યવંતી સ્ત્રીઓ ધવલ માંગલિક એવા લગ્નના ગીતો ગાય છે. વડારણ સ્ત્રીઓ રાજમહેલમાં અને શ્રેષ્ઠીની હવેલીએ જઇને શુભદિવસે વડી અને પાપડ વણે છે. પકવાન પણ જુદા જુદા પ્રકારના તૈયાર થઇ રહ્યા છે. બંને જગ્યાએ મહોત્સવના ગીતો ગવાય છે. બંને પક્ષે દરજીને બારણે બેસાડ્યા છે. અવનવા વાઘા સીવે છે. સોની પણ સોનાના રૂપાના, હીરા માણેકના જુદા જુદા અલંકારોના ઘાટ ઘડે છે. ઘડેલા દાગીનાઓમાં મોતી માણેક જડવાવાળા દાગીનામાં મોતી માણેકને જડે છે. સારાયે નગરમાં આનંદ આનંદ વર્તાઇ રહ્યો છે.
રાજાને દરબારે રાજદુલારીના લગ્નમાં મોટો માંડવો નંખાયો છે. તે લગ્નમાં આવેલા મહેમાનોને બેસવા માટે મંડપમાં મોટા મોટા માંચડાની લાઇનો નાખી છે. તેની ઉપર બેસી સૌ કોઇ લગ્નનો લ્હાવો લઇ શકે, જોઇ શકે. લગ્નમંડપમાં પાંચેય વર્ણના ચંદ૨વા બાંધ્યા છે. લગ્નની ખુશાલીએ યાચકોને ઘણું દાન આપવા લાગ્યા છે. બંદીખાને બંધાએલા બંદીઓને છોડી દેવામાં આવ્યા છે. દુઃખીયારાના દુઃખને દૂર કરવા માટે રાજ તરફથી બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સારાયે નગરમાં અમારી પડહ – હિંસા ન કરવી વજડાવે છે. વળી આ નગરી એવી શણગારી હતી કે જે નગરીને જોવા માટે સ્વર્ગમાંથી દેવીઓ, અપ્સરાઓ ઉતરી આવી હતી. ચોરે ચૌટે માનવસમુદાય થોકે થોકે ભેગા થઇને અવનવી વાતો સાંભળે છે. રાજતરફથી નાટક મંડળીઓના પાત્રો થૈ થૈ કરીને નાચી રહ્યા છે. વળી રાજના રસોડે સ્વજન વર્ગ-જ્ઞાતિજનો સાથે મળીને ભોજન કરેછે. આમ તૈયારી ચાલી રહી છે. ને એમ કરતાં લગ્નદિન નજીક આવી ગયો. લગ્નની ચૉરી કેવી ચીતરી છે? સુવર્ણમય જેના થાંભલા છે જેની ઉપર મણિ માણેક જડ્યા છે, થાંભલા ઉપર મણીમય કુંભ મુક્યા છે. ચૉરી ઉપર ફૂલોની સજાવટ એવી કરી છે કે આખોયે મંડપ સુગંધી પુષ્પોથી મહેંકી રહ્યો છે. સંસારના સુખને આપનાર લગ્નદિન લગ્નઘડી પણ નજીક આવી ગઇ છે. પોતપોતાના સ્થાને રહેલા વરરાજા અને કન્યા પીઠીએ ચડે છે. કુળ-ગોત્રની પિતરાણીઓ પીઠી લગાવે છે. સુગંધી જલવડે સ્નાન કરે છે. ત્યારબાદ લગ્નને યોગ્ય એવા વાઘાનું પરિધાન કરે છે, શ્રૃંગારને સજે છે. લગ્ન કરવા જવાને માટે તૈયાર થયેલ વરરાજા અમરકુમારને સૌભાગ્યવંતી સ્ત્રીના શુકુન થતાં, હાથમાં શ્રીફળ લઇને વરઘોડે ચડ્યા છે. જુવાનિયા-વૃદ્ધ વડીલો-નાના, મોટા સાજન-માજન સાથે મોટે મને વરઘોડો ચૌટામાં આવ્યો. વાજિંત્રો ઘણા વાગી રહ્યા છે. જુદા જુદા આલાપે શરણાઇઓ પણ વાગી રહી છે. અશ્વો નાચી રહ્યા છે. તેની પાછળ હાથીઓ શ્રેણીબદ્ધ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
૪૩