________________
કુંવરીનું પાણિગ્રહણ (દોહરા)
૪૦
અવનિપતિ ઇમ ચિંતવી, રતિસુંદરી સહ જી; પછે અનુચર મોકલ્યો, શેઠ-ઘરે સ પહુા. ૧ શેઠ ધનાવહ આવીયા, અનુચર સાથે તામ; રાય આદર બહુ દીયો, બેઠા કરીય પ્રણામ. ૨ રાય કહે સુણ શ્રીપતિ, તુમ દીઠે સુખ સાત; ચિત્તરુચે જો તુમ તણે, તો કીજે એક વાત, ૩ અમ પુત્રી સુરસુંદરી, તુમ સુત અમરકુમાર; પાણિગ્રહણ કરાવીએ, યુગતું છે નિરધાર. ૪ વળતું શેઠ વચન કહે, પ્રભુ તુમ વચન પ્રમાણ; મનગમતું વૈદે કહ્યું, નિસુણો જીવન પ્રાણ. મુજને તુમે જે આદિશ્યું, તે કરવું નિરધાર; ઇણિ વાતે હું હરખિયો, મ કરો વાર લગાર. ૬ રાય શેઠ ઇમ બિહું જણે, ઇણિપ૨ે કીધ વિચાર; જ્યોતિષી પંડિત તેડીને, લીધું લગન ઉદાર. ૭
૫
ભાવાર્થ :
ચંપાનગરીના અવિનતિ રાજા રિપુમર્દન, પોતાની પટ્ટરાણી સાથે કુંવરીની વાતનો વિચાર કરીને, નિર્ણય કરીને તરત અનુચરને બોલાવી અને કહ્યું- હે અનુચર! તમે આપણા નગરમાં રહેલા ધનાવહ શ્રેષ્ઠીને ત્યાં જઇને મારો સંદેશો પહોંચાડો. જઇને કહેજો કે કે શેઠ! આપને રાજા યાદ કરે છે. માટે આપ રાજ મહેલે પધારો. રાજાની આજ્ઞા સ્વીકારીને અનુચર તરતજ ત્યાંથી નગરમાં રહેતા ધનાવહ શ્રેષ્ઠીને ત્યાં પહોંચી રાજાની આજ્ઞાને કહી સંભળાવી. રાજાની આજ્ઞાને ઝીલતા ધનાવહ શ્રેષ્ઠીએ અનુચરનો આદર સત્કારને બહુમાન કર્યું. તરત શેઠ રાજમહેલે જવા માટે તૈયાર થઇને નીકળ્યા. રાજમહેલમાં રહેલા રાજા, શ્રેષ્ઠીની રાહ જોઇને બેઠા છે. ત્યાં તો અનુચર શ્રેષ્ઠીને લઇને આવી ગયો. શેઠને જોતા રાજા સામે ગયા અને હાથ જોડ્યા. શ્રેષ્ઠીએ પણ પ્રત્યુત્તર રુપે હાથ જોડી એકબીજાનાં પ્રણામ ઝીલ્યા. રાજાએ શ્રેષ્ઠીનો ઘણો આદર સત્કાર કર્યો. ત્યારબાદ ઉચિત આસન પર શ્રેષ્ઠીને બેસાડ્યા. પોતે પણ સિંહાસન પર બેઠો. શ્રેષ્ઠી બોલ્યા - હે મહારાજ! આ સેવકને કેમ સંભાર્યો? પછી રાજા કહે - હે શ્રીપતિ! તમોને જોતાં અમને ઘણો જ આનંદ થયો છે. સુખ પણ થયું છે: એક બીજાના કુશળતાના સમાચાર પૂછ્યા બાદ રાજને વાત કહી. હે શ્રેષ્ઠી! મારી વાત સાંભળો. . તમારા હૈયામાં ઉતરે તો મારી વાતને માન આપજો. વાતનો સ્વીકાર કરજો. દીકરીનો બાપ રાજા હોય કે મહારાજા હોય પણ દીકરાના બાપની આગળ નાનો જ કહેવાય. પોતાની કુંવરીનું માગું મુકવું છે તેથી વિનમ્ર ભાવે વિનંતી કરે છે.
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)