________________
મારી કુંવરીને યોગ્ય સમજુ ચતુર સુજાણ એવો રાજકુમાર જોવામાં કયાંયે આવતો નથી. તેથી મને ઘણી જ ચિંતા થાય છે. સરખે સરખાની જોડી મળી જાય તો મારો હંસલો-મારો જીવ મહાન સુખને પામે. હે ભદ્રે! જો પૂર્વના સંચિત પાપો ઉદયમાં આવે તો કજોડા થાય છે અને પછી આખો યે જન્મારો ઝુરી ઝુરીને જાય છે. સ્ત્રી સમજુ ડાહી, ગંભીર અને પંડિતા હોય અને જો તેનો ભરથાર મુર્ખ ગાંડો ઉતાવળો અને અભણ હોય તો શું થાય? આવા ભરથાર સાથે જીવન જોડાતા સ્ત્રીની શી દશા! જિંદગી ભર શોક કરવો રહ્યો. જેમ કેળની સાથે કંથેરનું ઝાડ હોય તો કેળની કેવી દશા! કેળને કેટલું દુઃખ સહન કરવું પડે! તેવી જ રીતે મુર્ખ ભરથારના એક એક વચન સ્ત્રીને બાળે છે. સારાસારનો વિવેક જ ન હોય પછી શું થાય? સંસાર કેવો ચાલે?એમાં તે વળી જો જિનમતને હૈયામાં ધારણ કર્યા છે તેવી સ્ત્રીને ... અન્ય ધર્મી મિથ્યામતિ ભરથાર મળે તો શું થાય? જો વળી સ્ત્રી દાતાર હોય અને કંથ કૃપણતાનો અવતાર હોય તો પણ શું થાય? વળી બારણું બંધ કરીને જમવા બેસનારના ઘરે કોણ આવે? કોઇ આવે નહિ. હે કામિની! પૃથ્વીતળને વિષે જોતાં મને આપણી કુંવરીને યોગ્ય કોઇ કુંવર નજરે દેખાતો નથી. પણ આપણા નગરમાં એક વ્યવહારી શેઠ ધનાવહ દીઠા છે જેનું મન હંમેશા જિનમતને વિશે ૨મે છે. પરિવાર સઘળો યે જિનધર્મને વિશે રાચનારો છે. આ શેઠનો ગુણિયલ વિવેકી જિનધર્મને માનનારો સ્વરુપવાન એકનો એક લાકવાયો પુત્ર છે. તેનું નામ અમરકુમાર છે. આપણી કુંવરીને જયારથી પંડિત પાસે ભણવા મૂકી છે ત્યારથી આ શ્રેષ્ઠીપુત્ર એ જ પંડિત પાસે વિદ્યાભ્યાસ કરતો હતો. બંનેનો અભ્યાસ સાથે જ ચાલતો હતો. ચતુર અને સુજાણ ભણવામાં સુરસુંદરીની બરોબરી કરનારો છે. પંડિતનું મન પણ આ શ્રેષ્ઠીપુત્ર હરી લીધું છે. બંનેના અભ્યાસપૂર્ણ થયે રાજસભામાં શાસ્ત્ર સંવાદ કરવા વિદ્યાનું પારખું જોવા મેં બંનેને બોલાવ્યા. ત્યારે મેં ત્યાં જ બંનેની સરખે સરખી જોડ પારખી હતી. બંને હરિફ વિદ્યાર્થી કોઇ કોઇથી ઉતરે તેમ નહોતા. મારી નજરે આ બંનેની જોડી સરખી છે. જો તારું મન માનતું હોય તો ગુણવંત કુમારનું માંગુ શ્રેષ્ઠી પાસે મુકું. આપણી કુંવરી માટે મને આ કુમાર જ શ્રેષ્ઠ અને યોગ્ય લાગે છે.
રાજાની વાત સાંભળી રતિસુંદરી કહેવા લાગી-હે સ્વામીનાથ! આપને ઠીક લાગે તેમ કરો. સુખ ઉપજે તેમ કરો. હે સાહિબ! હું તો આપના ચરણ કમળની રજ છું. મારી બુદ્ધિ પગની પાનીયે આપતો બુદ્ધિનિધાન છો. આપ જે કરશો તે સૌ કુંવરીના હિતને માટે જ કરશો. એમાં સ્વામી મારો વિચાર પણ તમારી ઇચ્છામાં ભળી જાય છે. રાણીની સંમતિ સાંભળી રાજા કહેવા લાગ્યો. હે મોહિની! પુત્રીની માતા તમે છો તમારા મનને ગમતું કરવામાં સહુને સુખસાતાકુશળતા જ રહે. આ પ્રમાણે દંપતી વાટાઘાટો કરીને છૂટા પાડ્યા. સુંદરીના રાસની ઢાળ સાતમી પૂર્ણ કરી, હે શ્રોતા! તમે સૌ ચિત્તને વિષે ધારણ કરજો.
*
પ્રથમ ખંડે સાતમી ઢાળ સમાપ્ત
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
⭑
⭑
૩૯