________________
હતો. કારણ કે શિવકુમાર સંપૂર્ણપણે મનવચન કાયાની એકાગ્રતાથી નવકારમહામંત્રના જાપમાં લાગી ગયો હતો. આ મંત્રના પ્રભાવે મૃતક શિવકુમારને હણી શકતો નહોતો. ઘાત કરી શક્યો નહોતો.
ત્રિદંડિકની પાસે મંત્ર એવો હતો જે મંત્ર બલે વૈતાલ તેને આધીન થતો. જે કહે તે બધું જ કામ વૈતાલ કરતો. મૃતકના શરીરમાં મંત્રબળે વૈતાલે પ્રવેશ કર્યો હતો. મંત્ર બળે ત્રણવાર શિવકુમારને મારવા માટે ઉઠ્યો. પણ શિવકુમારની પાસે નવકાર મહામંત્રનું બળ કુંડાળાકારે રહીને શિવકુમારનું રક્ષણ કરે છે. વારંવાર મંત્રનો જાપ કરતા ત્રિદંડિકની ઉપર વૈતાલને ગુસ્સો આવે છે. ગુસ્સામાં ચોથીવારે વૈતાલે તલવારથી ત્રિદંડિકનું શિર છેદી નાંખ્યુ. ત્રિદંડિકની ઇચ્છા બુરી હતી. તેની પાસે જે મંત્ર હતો તે મંત્રબળે મૃતક શિવકુમારને મારીને શિવકુમારનું શરીર સોનાનું બની જાય. પણ પુણ્યશાળી શિવકુમાર નવકાર મંત્રના પ્રભાવે બચી ગયો. જેમ કે ‘ખાડો ખોદે તે જ પડે” એ કહેવત અનુસાર ત્રિદંડિક પોતે જ હણાયો. અને એ પોતે જ સુવર્ણ પુરુષ બની ગયો. સ્મશાન ભૂમિએ અડધી રાત પસાર થઇ ગઇ. શિવકુમારે આંખ મીચી દીધી હતી. નવકારમય બની નવકારનો જાપ ચાલુ હતો. ત્રિદંડિકનો બબડવાનો અવાજ સંભળાતો બંધ થઇ ગયો તેમજ મૃતક ઉભું થઇને પડવાનો અવાજ પણ બંધ થઇ ગયો. સ્મશાનમાં સૂમસામ શાંતિ થઇ ગઇ. થોડીવારે શિવકુમારે આંખ ખોલી. ઘોર અંધારીરાત, તારલીયાના પ્રકાશમાં સોનાનો બની ગયેલ મૃતકનો દેહ ઝાકઝમાળ દીપતો હતો. વાતનો તાગ પામી ગયેલ શિવકુમાર સાહસ કરીને માંડલામાંથી બહાર આવ્યો, પલવારમાં મનમાં નિર્ણય કરીને સુવર્ણ પુરુષને જમીનમાં સંતાડી દીધો. આ ધટનાથી શિવકુમારને નવકાર મંત્રનો મહિમા અનંત અનેરો લાગ્યો. તેની
શ્રી નવકાર મંત્ર ઉપર અટલ શ્રદ્ધા આવી.
પ્રભાત થયું. વહેલી સવારે શિવકુમાર નગર ભણી ચાલ્યો. નગરના પાદરે વહી રહેલ નદીના જળમાં સ્નાન કરીને કિનારે બેસી નવકારનો થોડીવાર જાપ કરીને, નગ૨માં ગયો. ત્યાંથી સીધો રાજ દરબારે રાજાની પાસે પહોંચી ગયો. સર્વ વૃત્તાંત રાજાની આગળ કહી સંભળાવ્યો. રાજા આ વાત સાંભળી આશ્ચર્યચકિત બન્યો. રાજાની અનુજ્ઞા મેળવીને શિવકુમાર સ્મશાને જઇને સુવર્ણ પુરુષને પોતાના ઘરે લઇ આવ્યો. સુવર્ણ પુરુષ ના ધડ તથા પેટનો ભાગ એમનો એમ રહેવા દઇ અન્ય અંગ ઉપાંગો છેદી સુવર્ણ મેળવી બજારે જઇને ઘ૨સામગ્રી લાવ્યો. ધીમે ધીમે પૂર્વની જેમ હતો તેવો ધનાઢ્ય બની ગયો. દિવસે અંગ-ઉપાંગ છેદે રાત્રિ જતાં વળી તે સુવર્ણપુરુષના હતા તેવા અંગ ઉપાંગ બની જતાં. નવકારમંત્રનો મહિમા અપરંપાર છે. શિવકુમારે સાતે વ્યસનને છોડી દીધા. પિતા કરતાં પણ સવાયો બન્યો. હવે શિવકુમારને ગુણવંત ગુરુનો સમાગમ થયો. ધર્મને સાધવા લાગ્યો. ગુરુપાસે તત્વત્રયી રુપ દેવ-ગુરુ અને ધર્મની સંપૂર્ણ જાણકારી મેળવી. દિનપ્રતિદિન ધર્મની આરાધનામાં આગળ વધવા લાગ્યો. સુવર્ણમય ૫રમાત્માનું મંદિર બંધાવ્યુ અને જિનેશ્વરની રત્નમય પ્રતિમા ભરાવે છે. ગુરુનિશ્રા એ પ્રતિષ્ઠા મહોત્સવને ઉજવે છે. આ રીતે એકવાર પાયમાલ બનેલો શિવકુમાર નવકાર મંત્રના પ્રભાવે વિશ્વમાં વિજયપતાકા મેળવે છે. જિનશાસનની અજોડ પ્રભાવના કરાવે છે. સુંદરતમ ધર્મની આરાધના કરી સકળ કર્મનો ક્ષય કરી મુક્તિપદ મેળવે છે.
પૂ. સાધ્વી મ.સા. કહે છે : હે સુરસુંદરી! નવકારમંત્રનો મહિમા મોટો છે. આ ભવમાં સુખ મેળવે છે. પરભવમાં વળી સુખસાહ્યબી પામે છે. પરંપરા એ સિદ્ધિવધૂને મેળવે છે.
આ પ્રમાણે રળિયામણા રાસની આ પાંચમી ઢાળ નવકારમંત્રના મહિમાવાળી પૂર્ણ કરતા કવિરાજ કહે છે કે તમે સૌ પણ નવકારમંત્રની આરાધના કરો, જેથી પરંપરાએ શિવપદના ભાગી બનો.
પ્રથમ ખંડે પાંચમી ઢાળ સમાપ્ત
૨૬
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)