________________
ધર્મ કરી મુગતિ ગયો, સાદિ અનંત નિવાસ, સાંભળ તું સુરસુંદરી, મોહટો મહિમા તા. ૨૬ એણી પેરે શ્રી નવકારનો, મહિમા મહિમ મહંત; ઈહભવ સુખ પરભવ વલિ, સિદ્ધિ-વધૂ-વર-કંત. ૨૭ રાસ રચ્યો રળીયામણો, તેહની પાંચમી ઢાળ;
વીર કહે શ્રોતા ઘરે, હોજો મંગલ માળ. ૨૮ ૧-નાશપામી, ૨-દરિદ્રી, ૩-કુબેર ભંડારી, ૪-અંધારી ચૌદશની રાત્રિએ, પ-મસળે, ૬-કપટ, ૭-પુરુષ, ૮સંતાડીને, ૯-પેટ. ભાવાર્થ :
શિવકુમાર આ ભરતક્ષેત્રમાં રત્નપુરી નામની નગરી હતી. દમિતારી નામના રાજા રાજ્ય કરતા હતા. તે નગરીમાં યશોભદ્ર નામના ધનાઢ્ય શ્રેષ્ઠી વસતા હતા. જિનેશ્વરની આજ્ઞાને માનતા આ શ્રેષ્ઠી જૈનધર્મનું ચુસ્તપણે પાલન કરતા હતા. શ્રાવકવર્ગમાં શ્રેષ્ઠી મોખરે હતા. આવશ્યક ક્રિયા કરતા, ત્રિકાળ જિનપૂજા કરતા, પંચપરમેષ્ઠિરુપ શ્રી નવકાર મંત્રનો ૧૦૮ વાર અહર્નિશ જાપ કરતા. ક્યારેય પણ પોતાની આ આરાધનાનું ચૂકતા ન હતા. પુણ્યશાળી શેઠને સાંસારિક સુખોમાં ક્યાંયે ઉણપ ન હતી. હર્યો ભર્યો સંસાર હતો.
સંસારી સુખોને ભોગવતા શ્રેષ્ઠીને એક સંતાન શિવકુમાર નામે પુત્ર હતાં. સંતોષી શેઠ સદાયે ધર્મમાં મગ્ન રહેતા. પુણ્યબળે પરિવાર, નોકરવર્ગ વફાદાર હતો. વેપાર પણ પૂરબહાર ચાલતો હતો. પેઢીઓ પણ સદ્ધર હતી. પોતાના પુત્રને ધર્મના સંસ્કારનું સિંચન કરતાં પુત્ર પેઢીને અને ધર્મને સાચવે તે રીતે તૈયાર કરવાની ખુમારી ધરાવતા. પણ દૈવયોગે દરિયામાં ચાલતી નાવમાં એક કાણું પડે તેમ શેઠની પુણ્યરાશિમાં પાપનો છાંટો ઉદયમાં આવ્યો. પોતાની ઇચ્છા
બે પુત્રને તૈયાર ન કરી શક્યા. શિવકુમાર મોટો થતાં સાતે વ્યસનમાં ડુબી ગયો. “માણસ ધારે શું? કુદરત કરે શું? શેઠની ઇચ્છા મનની મનમાં જ રહી ગઈ. એકનો એક પુત્ર અવળે માર્ગે ઉતરી ગયો. ઘણા પ્રયત્નો શ્રેષ્ઠીપુત્ર શિવ ન સુધર્યો. પિતાની લક્ષ્મી ઉપર મનમાની મોજ ઉડાવવા લાગ્યો. પિતાનો વાર્યો સમજાવ્યો ન સમજ્યો. સાતે વ્યસનો સેવતો ભારે કુકર્મ કરવા લાગ્યો. તો ધર્મની વાત કરવાની ક્યાં રહી?
ધર્મને તો ક્યારેય કરતો નથી. નાનપણમાં અતિશય લાડમાં ઉછરેલો શિવકુમાર માતાપિતાના હાથમાં ન રહ્યો. બાજી બધી જ અવળી પડી. એમ કરતાં શ્રેષ્ઠી મરણપથારીએ છે. શિવકુમાર ઘરે આવે ન આવે. શેઠને પુત્રની ચિંતા ઘણી જ સતાવે છે. હું તો જઈશ પણ આવું શું? સમજુ શેઠ કર્મ ઉપર વાત છોડે છે. પોતાની સમાધિમાં જ રહે છે છતાં પોતાનું મન બાળકના ધ્યાનમાં વિચલિત થઈ જાય છે. ને શિવકુમારને પોતાની પાસે બોલાવે છે.
અંત સમય નજીક આવી ગયો છે. મીઠા શબ્દોમાં દીકરાને વહાલ કરતાં કહે છે, હે દીકરા! સાંભળ! હું તો જાઉં છું. આ ધન દોલત છે તે બધું જ તારુ છે. તને ધર્મ ગમતો નથી તો ધર્મની બીજી શી વાત કરું? છતાં પણ મારી એક વાત સાંભળ તારા જીવનમાં ક્યારેક સંકટ આવી પડે ત્યારે શ્રી નવકાર મહામંત્રને ગણજે. સંકટથી તું ઉગરી જઇશ. બચી જઇશ.
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
૨૪