________________
ઢાળ - પાંચમી
(ઘાતકીખંડના ભરતમાં - એ દેશી) રત્નપુરી નગરીમાં, નૃપ દમિતારિ વસંત; શ્રીયશોભદ્રહ નામે, શેઠ વસે ધનવંત. ૧ દેવપૂજા નિત કરતો, શ્રાવક બિરુદ ધરંત; જો ગતિય થિર ધ્યાને, પરમેષ્ઠી સમરત. ૨ તેહ તણો સુત સુંદર, શિવકુમાર અભિધાન, સાત વ્યસનને સેવે, આપે થઇ અશાન. ૩ ઘણું એ પિતાએ વાર્યો, પણ ન મૂકે કુકર્મ; શિખવીઓ બહુ કષ્ટ, પણ ન કરે તે ધર્મ. ૪ અંત સમે યશોભદ્ર, બોલાવ્યો નિજ બાલ; મધુર સ્વરે કરી ભાખે, હિતકર વાત રસાલ. ૫ માન માંગી તુજને કહું, સાંભળ શિવકુમાર; સંકટ આવે ગાઢો, તવ ગણજે નવકાર. ૬ દાક્ષિણ્યતાએ માન્યું, પુરો પિતા નું વચન; સુરલોકે પછે પોહતો, શેઠ કરી શુભ મન. ૭ સાત વ્યસનને પોષતાં, બનીઠી લખમી સર્વ માન મહત્વ ન પામે, નિઃસ્વ થયો ગયો ગર્વ. ૮ એક દિન તેહને મલીયો, ત્રિદંડિક ધુતાર; - તે આગે શિવ ભાખે, નિરધનનો અદિકાર. ૯ ત્રિદંડિયો કહે સાંભળ, વાત કરી થિર કાન; જો હું કહું તે તું કરે, તો કરું ધનદ સમાન. ૧૦ એક મૃતકને અણાવી, કૃષ્ણ ચતુર્દશી રાતિ; મંડલ માંડી મસાણે, બેઠા બિહું ધરી ખાંતિ. ૧૧ મૃતક તણે કરી દીધી, ખગ ઉઘાડી એક; પગતળીયાં ઓહલાસે, શેઠ કુમાર અવિવેક. ૧ ૨
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)