________________
ગુરુદત્ત આમ્નાયે ગણે,.જે લખ એક નવકાર; તીર્થંકર અભિધાન તે, બાંધે નર નિરધાર. દ આઠ કોડ લખ આઠ વલિ, અઠ્ઠસહસ સય અટ્ટ; અષ્ટ અધિક ભક્તે ગણે, તે પામે પરમટ્ઠ. ૭ મનવાંછિત તસ સંપજે, જે જપે નિત નવકાર; ક્રુષ્ટ ટળે લક્ષ્મી મલે, જિમ જગ શિવકુમાર. ૮ ભાવાર્થ :
બંને બાળકોનો વ્યવહારિક અભ્યાસ પૂરો થયો. હવે બંનેને પોતપોતાની માતા ધર્મના સંસ્કારો, ધર્મની જાણકારી મેળવવા જૈનાચાર્ય પંડિતની પાસે ભણવા મુકે છે. બુદ્ધિશાળી બંને બાળકો વિનયપૂર્વક પંચપ્રતિક્રમણ, નવસ્મરણ, ચાર પ્રકરણ, ભાસ્ય - - કર્મગ્રંથ, વળી આગળ વધીને ક્ષેત્રસમાસ આદિ ગ્રંથોને ભણતાં સૂત્રથી અને અર્થથી જ્ઞાન મેળવે છે. અમર પોતાની હવેલીએ ભણેછે. કુંવરી રાજમહેલમાં અભ્યાસ કરે છે.
આ નગરમાં પૌષધશાળાઓ પણ હતી. નજીક પૌષધશાળામાં ગુણવાન પવિત્રતાને ધારણ કરતાં પૂ. સાધ્વી મ.સા.રહેલા
છે.
એકદા રાજદુલારી સુરસુંદરી પૂ. સાધ્વી મ. સાહેબ પાસે આવે છે. વિનય, પૂર્વક નમન કરી વંદન આદિ કરીને બેસે છે. સુવિનીત સુરસુંદરી હાથ જોડીને પ્રશ્ન કરે છે. પૂજ્યશ્રી શ્રી નવકાર મહામંત્રનો મહિમા શું છે? તે કૃપા કરીને મને બતાવશો! પરોપકારી પૂજ્ય સાધ્વી મ.સા. કહે છે.
શ્રી નમસ્કાર મહામંત્રનો મહિમા
હે રાજકુમારી! સાંભળ! શ્રી નવકાર મંત્રનો મહિમા અપરંપાર છે. પંચ પરમેષ્ઠીરુપ આ મહામંત્ર શાશ્વતો છે. જેની અંદર ચૌદપૂર્વનો સાર સમાયેલો છે. મહિમાની શી વાતો કરવી! જેટલો મહિમા ગાઇએ તેટલો ઓછો છે. એનો અર્થ પણ અપરંપાર છે. જગતના જીવોનું આ મંત્રને ગણતાં દુઃખ, દુર્ભાગ્ય, દારિદ્રયપણું ચાલ્યું જાય છે. સુખી સૌભાગીને ધનવાન બને છે. વળી ઉત્કૃષ્ટભાવે ગણતાં સાતેય પ્રકારના ભય ચાલ્યા જાય છે.
સાત સાગરોપમના દુઃખોનો નાશ કરવાની શક્તિ મહામંત્રના એક અક્ષરમાં રહેલી છે. ભાવ પૂર્વક એક અક્ષરથી સાત સાગરોપમના દુ:ખ નાશ પામે છે. એક પદને ગણતાં પચાસ સાગરોપમના દુઃખો જાય છે. જ્યારે સમગ્ર નવકારને ગણતાં પાંચસો સાગરોપમના દુઃખો ટળે છે. વળી ગુરુની આજ્ઞાએ એક લાખ વાર નમસ્કાર મહામંત્રનો જાપ કરે તો તે મનુષ્ય શ્રી જિનનામ કર્મનું ઉપાર્જન કરે છે. તીર્થંકર નામ કર્મ બાંધે છે. જે પ્રાણી પોતાના જીવનમાં આઠ કરોડ, આઠ લાખ, આઠ હજાર અને આઠસો આઠ નવકારને ગણે, તો તે નિશ્ચયથી ઇષ્ટફળને મેળવે છે. હંમેશા જે નવકારને ગણે છે તેના કષ્ટો દૂર થાય છે. તેમજ મનોવાંછિતને મેળવે છે.
શિવકુમારની જેમ અઢળક લક્ષ્મીને પ્રાપ્ત કરે છે.
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
૨૧