________________
અંકશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, અઢાર પ્રકારની લિપિ આદિ જુદા જુદા વિષયોમાં મન લગાવીને ભણતાં વાર ન લાગી. વળી વ્યાકરણને, શબ્દધાતુને સાધતો, ન્યાય-તર્ક, છંદશાસ્ત્રને પણ આત્મસાત્ કર્યા. કાવ્યકળાને સાધતો વિવિધ પ્રકારના કાવ્ય બનાવવા લાગ્યો. આવા પ્રકારના વિષયોને ભણતા અમરકુમારે વૈદક શાસ્ત્રની પણ જાણકારી મેળવી લીધી. આમ અનેકવિધ શાસ્ત્રોને ભણતાં ને વૈદ્યપણાને જાણતો જાણે સાક્ષાત્ સ્વર્ગમાંથી ધવંતરિ ઉતરી આવ્યો ન હોય? તેમ શોભતો હતો. પ્રમાદને ખંખેરી નાંખીને પ્રખર પુરુષાર્થને કરતો ગુરુકૃપાએ ગુરુ પાસેથી થોડા કાળમાં બધા જ વિષયોમાં પારંગત થવા લાગ્યો.
આ જગતમાં જ્ઞાનનો પાર જ નથી. આયુષ્ય પરિમિત છે અને વિઘો પણ ઘણા છે. માટે જેવી રીતે હંસ પાણીમાંથી દૂધને જ ગ્રહણ કરે છે તેવી રીતે ઉત્તમ પુરુષો સાર સાર વસ્તુને ગ્રહણ કરે છે. તે રીતે ભણતા અમરકુમાર સાથે સાથે વિનય વિવેકને ભૂલતા નથી. કહ્યું છે કે વિદ્યા વિનયથી શોભે છે. વિનયયુકત વિદ્યાને મેળવતો કુમાર પંડિતને પણ મનથી વહાલો લાગે છે. આપણે હૈયે ગુરુ આવીને વસે એમાં કોઈ જ નવાઈ નથી. પણ આપણી એવી પ્રવૃત્તિ હોવી જોઇએ, જે પ્રવૃત્તિથી ગુરુના હૈયામાં આપણું સ્થાન હોય. વીરલા જ ગુરુના હૈયે વસનારા હોય છે. ઉતાવળાપણું અમરકુમારમાં જરા યે નથી. પંડિત પણ મન મૂકીને કુમારને ભણાવે છે. સાથે બીજા વિદ્યાર્થીઓ પણ ભણી રહ્યા છે. બધા જ વિદ્યાર્થીઓમાં અમર મોખરે હતો. સૌને મનગમતો, બધાના દિલમાં વસેલો કુમાર ઘણો આગળ વધવા લાગ્યો. વડો શિરતાજ બનેલો કુમાર શુભ રસપૂર્વક ભણતાં બીજાને માત કરે છે. સુરસુંદરીના રાસની ત્રીજી ઢાળમાં કવિરાજ કહે છે,
હે શ્રોતાજનો! પુણ્યશાળી છો. તેથી શુભધ્યાન પૂર્વક સાંભળો અને આ રીતે શાસ્ત્રનો અભ્યાસ કરવામાં ઉદ્યમવાળા બિનજો.
ત્રીજી ઢાળ સમાપ્ત
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
૧૫