________________
વચન સ્વજન પરિવારમાં આદરણીય હતું. કલ્યાણમિત્રની ગરજ સારતી. સહનશીલતામાં સાક્ષાત્ બીજી પૃથ્વીધરા સમ શોભતી હતી. કાર્ય કરવામાં કુશળ દાસીને પણ હરાવતી હતી. પરમાત્માના શાસનને હૈયે વસાવ્યું હતું. સહધર્મચારિણી
હતી.
પુણ્યશાળી શ્રેષ્ઠીનો સંસાર સુખમાં ચાલ્યો જાય છે. ધર્મ, કર્મને કરતાં ઘણો કાળ વીતવા લાગ્યો. છીપમાં મોતી પાકે, સરોવરમાં હંસ શોભે, તેમ સરોવ૨સમ રાજકુળમાં રાણીની કુક્ષી રુપી છીપમાં, મોતીની જેમ દેવલોકમાંથી કોઇ પુણ્યશાળી આત્મા અવીને આવ્યો. બાળના પુણ્યે માતાને શુભ સ્વપ્રો આવવા લાગ્યા. વળી જુદા જુદા પ્રકારના દોહદ પણ થવા લાગ્યા. શ્રેષ્ઠી ધનાવહ, પત્નીના સ્વપ્નોના અર્થને જણાવતા. ધનશ્રી ઘણી આનંદિત થાય છે. શેઠ દોહદને પૂર્ણ કરે છે. સમય થતાં પૂરણ માસે ધનવતીએ શ્રેષ્ઠ એવા પુત્રને જન્મ આપ્યો. શેઠની હવેલી આનંદના હિલોળે ચડી. પરિવારમાં આનંદ-પ્રમોદની છોળો ઉછળવા લાગી. કુળવધુઓ માંગલિક ગીતો ગાય છે. પુત્રરત્નની વધાઇએ શ્રેષ્ઠીની હવેલીએ અખિયાણાં ભેટણાં આવવા લાગ્યાં. શ્રેષ્ઠીએ બારમે દિવસે કુટુંબીઓને, જ્ઞાતિજનોને, સંબંધીઓને, સજજનોને બોલાવ્યા. જોષીઓને પણ બોલાવ્યા. લાડકવાયા લાલનું નામ ‘અમર’ રાખ્યું. આંગણે આવેલા સૌ સજજનોને પ્રીતિભોજન કરાવીને પહેરામણી પણ આપી અને જન્માક્ષર બનાવ૨ના૨ જોષીઓને પણ સંતોસ્યા. ઘણા વર્ષ સુધી ચાલે તેટલું દ્રવ્ય આપ્યું.
દિવસ ૫૨ દિવસ જવા લાગ્યા. શ્રેષ્ઠી પુત્ર અમરકુમાર વધતો આઠ વર્ષનો થયો. રુપ એટલું અદ્ભુત ખીલ્યું કે સાક્ષાત્ ઇન્દ્ર મહારાજ ન હોય! એવો શોભતો હતો. બાળકુમારના લક્ષણો, બાળચેષ્ટા એવી અદ્ભુત હતી જે જોવાને લોકોના ટોળા ભેગા થતા. શેરીએ રમવા જતો ને બધાને મોહ પમાડતો. વયથી નાનો હતો પણ બુદ્ધિએ વૃદ્ધ હતો. પરિપકવતા પામેલાની વાતો જેવી વાતો કરતો.
બાળકની બાલપ્રવૃત્તિ જોઇને માતા પિતા ઘણા હરખાતાં. હવે માતા પિતા પોતાના બાળના ભાવિની વિચારણા ક૨વા લાગ્યાં. બાળક હોશિયાર ઘણો છે છતાં તેને વિદ્યા પ્રાપ્ત કરાવવી પડશે. વિદ્યા વિનાનું જીવન કેવું? વળી જીવ વિનાનો દેહ, સ્ત્રી વિનાનો પુરુષ, પુત્ર વિનાનું ઘર, ન્યાય વિનાનો રાજા, મદ વિનાનો હાથી, ભકિત વિનાની સ્ત્રી જેમ શોભતી નથી તેવી જ રીતે આપણો કુંવર વિદ્યા વિના શોભશે નહિ. વળી પાણી વિનાનું સરોવ૨શસ્ત્ર વિનાનો સુભટ પણ શું કામનો? સ્નેહ વિનાનો ભાઇ, ચક્ષુ વિનાનો સ્નેહ, તેમ વિદ્યા વિનાનો નર પશુ સમાન છે. અભણ માણસની સમાજમાં કંઇ કિંમત નથી. વળી કુટુંબનો ભાર પણ ઉપાડી શકતો નથી. તેથી કરીને આપણા કુમારને યોગ્ય પંડિત પાસે વિદ્યા પ્રાપ્ત કરવા માટે મુકવો જોઇએ.
કુંવરનો વિદ્યાભ્યાસ
શુભ દિને શુભ વેળાએ જોષીને બોલાવીને કુમા૨ને ભણવાનો દિવસ જોવરાવ્યો. સારો દિવસ આવતાં માતા પિતા મનને રંગે નગરની બહાર આવેલા પ્રખર પંડિતને ત્યાં આનંદ અને ઉલ્લસાપૂર્વક ભણવા માટે મૂકયો. વિદ્યાદાતા પંડિતને પણ પુરસ્કાર રુપ ભેટણા મૂકે છે. બીજા પણ વિદ્યાર્થીઓ પંડિત પાસે ભણવા માટે રહેલા છે. સમગ્ર વિદ્યાર્થીઓને પણ મીઠાઇઓ વહેંચે છે. અમરકુમાર પંડિતને ત્યાં ગુરુકુળવાસમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે વિદ્યા સંપાદન કરવા લાગ્યો. કુશાગ્ર બુદ્ધિ તીવ્ર અને તીક્ષ્ણ હોવાને કારણે પંડિત જે કંઇ પણ ભણાવે તેને શીખતાં જરા યે વાર લાગતી નથી.
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
૧૪