________________
જે માતાપિતા પોતાના સંતાનને ભણાવતા નથી. તે સંતાનની કેવી દશા? સુજ્ઞજનો કહે છે :
माता शत्रुः पितावैरी, येन बालो न पाठितः ।
न शोभते सभा मध्ये, हंस मध्ये बको यथा ॥ અર્થ:- પોતાના સંતાનને ભણાવતી નથી તે માતા શત્રુ છે અને પિતા વૈરી છે કારણ સંતાન મોટા થયે મુર્ખ બને છે. સજ્જનો કે પંડિતોની સભામાં શોભતો નથી. ભણ્યા વગરનો માનવી સંજ્જન કે પંડિતની સભામાં શું સમજે? જેમ કે હંસોની સભામાં બગલો કેવો શોભે અર્થાત્ શોભતો નથી. તેમ અજ્ઞાની ક્યાંયે શોભતો નથી.
આ તો રાજદુલારી છે. પૂર્વના પ્રબળ પુષ્ય યોગે રાજાને ત્યાં જન્મ લીધો છે. વળી બે રાજકુમાર પછી રાણીએ પુત્રીને જન્મ આપ્યો છે. એના વિકાસમાં રાજારાણી પૂરી તકેદારી રાખે છે. “ઉત્તમ જીવોને વિદ્યાગુરુ માત્ર સાક્ષી રૂપ હોય છે.” વિવેકી બાળા વિનયપૂર્વક વ્યાકરણ આદિ વિષયોનો અભ્યાસ કરે છે.
આ જ અરસામાં સુરસુંદરીના વિદ્યાગુરુ પાસે અમરકુમાર પણ ભણે છે. તેણે પંડિતના મનને જીતી લીધું છે. પરીક્ષામાં સાચી મહેનતે ઉત્તીર્ણતા મેળવતા ને આજ સાચું જ્ઞાન જીવનના અંત સુધી ઉપકારી બની રહેતું.
અમર અને સુરસુંદરી એક જ પંડિત પાસે ભણતા ગુરુકુળ વાસમાં રહેતા. બીજા પણ ઘણા વિદ્યાર્થીઓ ભણતા હતા. પણ આ બંને તો ભણવામાં શ્રેષ્ઠ હતા. પંડિતના દિલને જીતી લીધું હતું. તે સાથે ભણતા સાથે રમતાં બંને વિદ્યાર્થી વચ્ચે ધીમે ધીમે નિર્દોષ નિર્મળ એવી પ્રીતિ બંઘાઈ.
શ્રોતા પ્રશ્ન પૂછે છે :- આપ આ કથા કહી રહ્યા છો તો તેમાં આ શ્રેષ્ઠ વિદ્યાર્થી અમરકુમાર કોણ? તેના માતાપિતા કોણ?
કથાનકમાં નવું પાત્ર આવે કે તરત પ્રશ્ન થાય. કવિરાજ પણ શ્રોતાગણનાં રસને અખંડ રાખવાને માટે ઉઘમવંત બન્યા છે.
ઢાળ-ત્રીજી (હુઓ ચારિત્ર જુત્તો, સમિતિને જુત્તો, વિશ્વનો તારુજી - એ દેશી) હવે તે હિજ નગરી, ચંપા સખરી, વિશ્વમાં - જયકારી. નિવસે તિહાં રંગે, સમક્તિ સંગે, વાસિઓ - મનોહારી. ગણે પંચપરમેષ્ઠી ઘનાવહ શ્રેષ્ઠી, વિશ્વમાં - જયકારી. સજ્જન પરિવારે, મગતિ ઉદાર, પરવર્યો - મનોહારી. ૧ તસ ખટ ગુણપ્યારી ધનવતી નારી, વિશ્વમાં - જયકારી, રુપ રંગે સારી, અપછ૨ હારી, જેહથી મનોહારી, સા ભકિત મહેલા, ભોજનવેલા વિ.- જય. જિમ માત જમાડે, બે સી ઉડાડે મક્ષિકા - મ. ૨
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)